અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાને ચૂંટણીના વર્ષમાં અનેક લાભો મળે છે અનેક યોજનાઓનું લોકાર્પણ થાય છે અને અનેક દિગ્ગજ નેતાઓના દર્શન થાય છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ગઢ ગુજરાતને જીતવા માટે એડી ચોંટીનું બળ લગાવશે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજથી તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જાણો વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ શું રહેશે?
ADVERTISEMENT
આવો હશે PM મોદીનો સમગ્ર કાર્યક્રમ
- તા.૨૭ ઓગષ્ટ, ૨૦૨૨ શનિવારે અંદાજે સાંજે ૫.૧૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે
- ત્યાર બાદ સાંજે ૭.૩૦ કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે.
- કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાનનો 28મી ઓગસ્ટનો કાર્યક્રમ આ મુજબ રહેશે
ADVERTISEMENT
