પદ્મશ્રી પ્રભાબેન શાહનું નિધન, આવતીકાલે દમણ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

Niket Sanghani

• 10:52 AM • 18 Jan 2023

કૌશિક જોશી, દમણ: સંઘ પ્રદેશ દમણના સામાજિક સેવિકા અને લાયન્સ ક્લબના અને સોશિયલ વર્કર તરીકે ઘણી લાંબી સેવાઓ આપનાર પદ્મશ્રી પ્રભાબેન શાહનું  નિધન થયું છે. …

gujarattak
follow google news

કૌશિક જોશી, દમણ: સંઘ પ્રદેશ દમણના સામાજિક સેવિકા અને લાયન્સ ક્લબના અને સોશિયલ વર્કર તરીકે ઘણી લાંબી સેવાઓ આપનાર પદ્મશ્રી પ્રભાબેન શાહનું  નિધન થયું છે.  લાંબી બીમારી બાદ બપોરે તેમનું મૃત્યુ થયું છે. આવતી કાલે દમણ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો
પ્રભાબેન શાહના સેવાકીય કાર્યોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેમને ગત વર્ષે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પદ્મશ્રી પ્રભાબેન શાહ બીમાર હતા જેને લઈને તેમની સારવાર પણ ચાલી રહી હતી, પદ્મશ્રી પ્રભાબેન શાહ નું નિધન થતાં સંઘપ્રદેશ દમણમાં અને દાદરા નગર હવેલીમાં શોકની લહેર ફરી વળી છે.
વર્ષ 1930 માં થયો હતો જન્મ 

20 ફેબ્રુઆરી 1930ના દિવસે બારડોલીમાં જન્મેલાં શ્રીમતી પ્રભાબેન શોભાગચંદ શાહ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે સંકડાયેલા હતાં અને ગાંધી વિચારધારાથી પ્રેરિત હતાં. તેમણે બારડોલીમાં 2 વર્ષ શિક્ષણકાર્ય કર્યા બાદ દમણને કર્મભૂમિ બનાવી હતી. અહીં દમણની મુક્તિ બાદ વર્ષ 1963થી વોકેશનલ ટ્રેનિંગની   શરુઆત કરી હતી. તેમણે એ જ વર્ષમાં મહિલા મંડળની પણ સ્થાપના કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતની મહિલાઓને રાજસ્થાનના બેન્ક કર્મીઓની ધમકી, લોન નહીં ભરો તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે

અટલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
પ્રભાબેન શાહ 30 વર્ષ સુધી દમણ મહિલા મંડળની અધ્યક્ષપદે રહ્યા હતા. આજે 93 વર્ષની ઉંમરે પણ તેઓ સામાજીક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા રહ્યા હતા. દમણ પ્રદેશ ભાજપ તરફથી  થોડા સમય પહેલા જ તેમને અટલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

68 વર્ષથી અવિરત સેવા કરી 
બારડોલીમાં 2 વર્ષ શિક્ષણકાર્ય કર્યા બાદ દમણને તેમણે દમણને કર્મભૂમિ બનાવીને પરિવાર સાથે અ દમણમાં જ સ્થાઇ થઇને સેવાકીય પ્રવૃતિનો આરંભ કર્યો હતો. 68  વર્ષથી અવિરત સેવા કરનાર પ્રભાબેન શાહે આજે અંતિમ શ્વાસ લીધા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp