MS ધોનીને શું થયું? CSKને ચેમ્પિયન બનાવ્યા બાદ હવે મુંબઈની આ હોસ્પિટલમાં એડમિટ થવું પડશે!

Yogesh Gajjar

• 04:46 AM • 31 May 2023

નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો હતો, પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે ખરાબ…

gujarattak
follow google news

નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો હતો, પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોનીને ટૂંક સમયમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જવું પડી શકે છે. માનવામાં આવે છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની સમસ્યા છે. કેપ્ટન કૂલ પોતાના ઘૂંટણના ટેસ્ટ માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જશે. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને ચાહકો આઈપીએલ જીતવાના જશ્નમાં ડૂબેલા છે, પરંતુ હવે જે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે તે ચાહકો માટે સારા સમાચાર નથી.

આ પણ વાંચો

મહેન્દ્ર સિંહ ધોનીનો ટેસ્ટ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોનીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અનેક ટેસ્ટ કરાવવા પડશે. કેપ્ટન કૂલ આ અઠવાડિયે મુંબઈ જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. આ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની સાથે સાથે વર્ષ 2011માં ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત IPLનું ટાઈટલ જીત્યું છે.

ટૂર્નામેન્ટમાં ઘૂંટણ પર પટ્ટી બાંધીને જોવા મળ્યો ધોની
ધોની આઈપીએલની આ સિઝનમાં આખી ટુર્નામેન્ટ દરમિયાન ઘૂંટણ પર પટ્ટી બાંધીને જોવા મળ્યો હતો. CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ ધોનીના ઘૂંટણમાં સમસ્યા વિશે વાત કરી હતી. ફ્લેમિંગે કહ્યું કે, ઘૂંટણની સમસ્યાને કારણે ધોનીને વચ્ચેની ઓવરોમાં બેટિંગ માટે ઉતારવામાં આવ્યો ન હતો. ફ્રેન્ચાઇઝી માહીને છેલ્લી ઓવરમાં બેટિંગ માટે ફિલ્ડિંગ ઉતારી રહી હતી. આવી સ્થિતિમાં ધોની થોડા દિવસોમાં કોકિલાબેન હોસ્પિટલમાં જાય તેવી શક્યતા છે. જ્યાં તેના ટેસ્ટ્સ થઈ શકે છે.

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે રાત્રે ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો હતો. આ પહેલા આ ટીમ IPL 2010, IPL 2011, IPL 2018 અને IPL 2021 નો ખિતાબ જીતી ચુકી છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સંયુક્ત રીતે સૌથી વધુ વખત આઈપીએલ જીતનારી ટીમ બની ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ 5-5 વખત આઈપીએલ ટ્રોફી જીતી ચૂકી છે. આ ટીમે પ્રથમ વખત વર્ષ 2010માં IPL ટ્રોફી પર કબજો કર્યો હતો.

    follow whatsapp