દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ને ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે બીજા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
ભાવનગરથી AAPના ઉમેદવારનું નામ જાહેર
આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા બાદ વધુ એક ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. AAPએ ઉમેશ મકવાણાને ભાવનગરથી ઉમેદવાર બનાવ્યા છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં ગઠબંધન માટે આમ આદમી પાર્ટીએ 8 સીટો માંગી છે. આ માટે 2022ની ચૂંટણીની મત ટકાવારીનો ઉલ્લેખ કર્યો છે.
આજે PACની યોજાઈ હતી બેઠક
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આજે 13 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત, હરિયાણા અને ગોવા બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ ડો. સંદીપ પાઠકે ગુજરાતની ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી હતી.
પંજાબમાં એકલા જ ચૂંટણી લડશે AAP
આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, પંજાબમાં બંને પક્ષોના સ્ટેટ લીડર્સ અલગ-અલગ ચૂંટણી લડવા માંગે છે. અમે નક્કી કર્યું છે કે પંજાબમાં બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડશે.
ADVERTISEMENT
