મની લોન્ડ્રીંગ કેસઃ પત્રકાર રાણા ઐયુબની અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે મંગળવારે ફેસલો

સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં ગાઝિયાબાદની કોર્ટ દ્વારા સમન્સને રદ કરવાની માંગ કરતી પત્રકાર રાણા અય્યુબની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે.…

gujarattak
follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મંગળવારે મની લોન્ડરિંગ કેસમાં ગાઝિયાબાદની કોર્ટ દ્વારા સમન્સને રદ કરવાની માંગ કરતી પત્રકાર રાણા અય્યુબની અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ ચુકાદો સંભળાવશે.

EXCLUSIVE: અદાણી અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી સ્પષ્ટતા

ક્રાઉડ ફંડિગના રૂપિયાનો શું ઉપયોગ?
EDએ રાણા અય્યુબ પર ‘ક્રાઉડ ફંડિંગ’ દ્વારા ઉમદા હેતુ માટે નાણાં એકત્ર કરવાનો આરોપ મૂક્યો છે, પરંતુ તેણે કથિત રીતે તેનો દુરુપયોગ કર્યો હતો. આરોપીએ તે પૈસાનો ઉપયોગ પોતાના અંગત લક્ઝરી અને ઉપભોગ માટે કર્યો હતો. રાણા અયુબની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રોવર રાણાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેણે કોર્ટને જણાવ્યું કે એફઆઈઆર 7 સપ્ટેમ્બર, 2021ના રોજ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ એફઆઈઆર હિન્દુ આઈટી સેલ નામના સંગઠનના કાર્યકરોએ નોંધાવી હતી.

તુર્કી અંગે નિષ્ણાંતોની ખતરનાક આગાહી! ભૂકંપ તો માત્ર ટ્રેલર હતું આ સમસ્યા લેશે સેંકડોના જીવ

ફરિયાદને ટાંકીને શું કહેવાયું?
રાણા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ટાંકીને કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ક્રાઉડ ફંડિંગ રજિસ્ટર્ડ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવ્યું હતું. તે પણ મુંબઈમાં જ સ્થપાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની દિલ્હી ટીમ તેની તપાસ કરી રહી છે. આ રિપોર્ટ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ એટલે કે ગાઝિયાબાદની પીએમએલએ કોર્ટમાં પણ દાખલ કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદ કોર્ટ પાસે આ મામલે કોઈ અધિકારક્ષેત્ર નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp