તાપી: અમદાવાદથી મુંબઈ સુધી જનાર બુલેટટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સપનુ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટ હાલમાં નવસારી જિલ્લામાંથી કાર્યરત છે ત્યારે નસીલપોર ગામ પાસે તેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે. અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલવે કોરિડોર પર પ્રથમ રિવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી પસાર થનાર પાર નદી પર બાંધવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ફૂલ સ્પીડમાં છે. નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
MAHSR તરફથી જાણકારી આપવામાં આવી છે કે, વલસાડ જિલ્લાના પાર નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પ્રથમ રિવર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ નદીની પહોળાઈ 320 મીટર છે. તેમાં 8 ફુલ સ્પાન ગર્ડર છે. થાંભલાઓની ઊંચાઈ 14.9થી 20.9 મીટર છે. ગોળાકાર થાંભલાઓનો વ્યાસ 4-5 મીટર છે.
2026 સુધીમાં ટ્રેન થશે દોડતી
સંપાદિત જમીન પર ઉભા કરાયેલા પીલર પર આધુનિક પદ્ધતિ દ્વારા ગર્ડર ફિટ કરીને ટ્રેક બનાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે 2026 સુધી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઇ તેના પર ટ્રેન દોડતી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક, પંકજકુમાર 31 જાન્યુઆરીએ થશે નિવૃત
સુરતના સ્ટીલનો થશે ઉપયોગ
ડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટ ટ્રેન સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરના રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે. સુરત જિલ્લાના આંત્રોલી ગામમાં જે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. બુલેટ ટ્રેનનો સ્ટીલનો વપરાશ થશે તે સુરતની હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલની શાખા AMNS ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
