‘BJP કાર્યકર્તાએ CSKને જીત અપાવી…’, તમિલનાડુના ભાજપ અધ્યક્ષનું નિવેદન ચર્ચામાં

Yogesh Gajjar

31 May 2023 (अपडेटेड: May 31 2023 8:02 AM)

નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2023 ટ્રોફી જીતી લીધી છે. ફાઈનલ મેચમાં છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને જીતાડનાર રવિન્દ્ર જાડેજાના વખાણ…

gujarattak
follow google news

નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL 2023 ટ્રોફી જીતી લીધી છે. ફાઈનલ મેચમાં છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને જીતાડનાર રવિન્દ્ર જાડેજાના વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈ (કે. અન્નામલાઈ) એ પણ CSKને પાંચમી વખત IPL વિજેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન જાડેજાને જીતનો શ્રેય આપતા તેમણે એવું નિવેદન આપ્યું છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો

ભાજપના ટ્વિટર હેન્ડલ પરથી થઈ પોસ્ટ
તમિલનાડુ બીજેપીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી અન્નામલાઈના નિવેદનને ટાંકીને તમિલ ભાષામાં એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે- ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બીજેપીનો કાર્યકર છે. તેમની પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તે એક ગુજરાતી છે. આ ભાજપના કાર્યકર જાડેજા જ હતા, જેમણે CSKને જીત અપાવી હતી.’ ટ્વીટની સાથે જ પીએમ મોદી સાથે જાડેજા અને રીવાબાનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.

જાડેજાને ભાજપ કાર્યકર બતાવ્યો
એવું કહેવામાં આવ્યું હતું કે, અન્નામલાઈએ આ વાત તમિલનાડુની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહી હતી, જે ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. IPL ફાઈનલમાં CSKની જીત બાદ જ્યારે અન્નામલાઈને મેચ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું, ‘ભાજપના એક કાર્યકર્તાએ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ માટે વિજયી રન બનાવ્યા. જાડેજા ભાજપના કાર્યકર છે અને તેઓ ગુજરાતના છે. તેમની પત્ની રીવાબા ભાજપના ધારાસભ્ય છે. અમને ગર્વ છે કે બીજેપીના એક કાર્યકર્તાએ ચેન્નાઈ માટે વિજયી રન બનાવ્યા.

નોંધનીય છે કે, સોમવારે (29 મે) IPL-16ની ફાઈનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને CSK વચ્ચે રમાઈ હતી. આ મેચની છેલ્લી ઓવરમાં CSKને જીતવા માટે 13 રનની જરૂર હતી અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો. છેલ્લા 2 બોલમાં 10 રનની જરૂર હતી ત્યારે જાડેજાએ એક સિક્સર અને એક ફોર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

જાડેજાના પત્ની રિવાબા ભાજપના ધારાસભ્ય છે
તો વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ 80 હજારથી વધુ મતોથી જીત્યા હતા. રીવાબા સત્તાવાર રીતે 2019માં ભાજપમાં જોડાયા હતા. આ પછી જાડેજાએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ભાજપને સમર્થન કરે છે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે જાડેજા સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે કે નહીં.

    follow whatsapp