Loksbha Election: રાજકોટ લોકસભા બેઠક પરથી આ નેતાએ NCPમાંથી માંગી ટિકિટ, ગરમાયું રાજકારણ

Gujarat Tak

18 Mar 2024 (अपडेटेड: Mar 18 2024 6:38 PM)

Loksbha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે.

follow google news

Loksbha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. આ સાથે જ ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. જેના કારણે INDIA ગઠબંધનની મુશ્કેલીમાં વધારો થયો છે. વાસ્તવમાં એક નેતાએ રાજકોટ લોકસભાની શરદ પવાર જૂથ NCPમાંથી ટિકિટ માંગી છે. 
 

આ પણ વાંચો
    follow whatsapp