Morbi Bridge Tragedy : આજના દિવસે જ મોરબીમાં ઝુલતા પુલ પરથી 100થી વધુ લોકો મોતને ભેટ્યા| Gujarat Tak

Morbiના ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ. જીવ ગુમાવનારા 135 લોકોને હજી નથી મળ્યો ન્યાય. દુર્ઘટનામાં જવાબદાર લોકોને ફાંસી આપવાની માગ..

follow google news

25 ઓક્ટોબર, 2022 અને મંગળવારના રોજ મોરબીવાસીઓમાં ખુશીનો માહોલ હતો, કારણ કે એ દિવસે ઓરેવા ગ્રૂપના એમ.ડી. જયસુખભાઈ પટેલે પરિવાર સાથે મેઈન્ટેનન્સ બાદ ઝૂલતો પુલ ખુલ્લો મૂક્યો હતો. તહેવારો હોવાથી લોકો મોરબીની ધરોહર સમાન આ બ્રિજ જોવા માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા હતા. જો કે ઝૂલતો પુલ ખુલ્લો મૂક્યાના માત્ર છઠ્ઠા દિવસે એટલે કે, 30 ઓક્ટોબર અને રવિવારના રોજ સાંજ પડતાં જ ભીડ વધી ગઈ અને એક કરુણાંતિકા બની.

Morbi Bridge Tragedy one Year completed

    follow whatsapp