19 તારીખ સુધીમાં રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો થશે અઘરા કાર્યક્રમઃ ક્ષત્રિય આગેવાન

Gujarat Tak

15 Apr 2024 (अपडेटेड: Apr 15 2024 12:53 PM)

Parshottam Rupala Controversy: રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ રહેલા ક્ષત્રિય સમાજનું આજે રાજકોટ ખાતે અસ્મિતા મહાસંમેલન (Kshatriya Sammelan Rajkot) યોજાયું હતું.

follow google news

Parshottam Rupala Controversy: રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ રહેલા ક્ષત્રિય સમાજનું આજે રાજકોટ ખાતે અસ્મિતા મહાસંમેલન (Kshatriya Sammelan Rajkot) યોજાયું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. રતનપર ખાતે યોજાયેલ આ મહાસંમેલન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન ક્ષત્રિય સમાજે  પાર્ટ-1 બાદ 19 તારીખ સુધીમાં પરસોત્તમ રૂપાલાએ જો ફોર્મ પરત ન ખેંચ્યું તો અઘરા કાર્યક્રમ થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. 
 

આ પણ વાંચો
    follow whatsapp