Big News: RTE પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં કરાયો વધારો, હવે આ તારીખ સુધી ફૉર્મ ભરી શકાશે

Gujarat Tak

26 Mar 2024 (अपडेटेड: Mar 26 2024 9:39 PM)

RTE admission: શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા (RTE admission process in Gujarat) આજથી સમાપ્ત થઈ જવાની હતી જેમાં 30 માર્ચ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

RTE admission

શું છે RTE?

follow google news

RTE admission: શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા (RTE admission process in Gujarat) આજથી સમાપ્ત થઈ જવાની હતી જેમાં 30 માર્ચ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 14થી 26 માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત થઈ હતી. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

આ પણ વાંચો


RTE 2024-25 માટે કોણ અરજી કરી શકે છે?
(RTE Gujarat Admission Eligibility)

  • જે બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય.
  • જે બાળકો ગુજરાતમાં રહેતા હોય.
  • જે બાળકોનું વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.

RTE documents:- ગુજરાત પ્રવેશ 2024-25 માટે જરૂરી દસ્તાવેજો

બાળકના દસ્તાવેજો:

  • જન્મ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
  • બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે

વાલીના દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • આવકનો દાખલો 

શું છે RTE?


શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. 
 

    follow whatsapp