PM Awas Yojana: EWS આવાસ યોજનાનું ફૉર્મ ભરવા જરૂરી સોગંદનામુ શું છે? તેમાં કઈ કઈ વિગતો આપવાની રહેશે, જુઓ નમૂનો

Gujarat Tak

• 02:50 PM • 26 Mar 2024

Pradhan Mantri Awas Yojana 2024: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફૉર્મ હાલ ભરાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 જગ્યાએ 1055 ઘર બની રહ્યા છે. આ ઘરની ફાળવણી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા થશે. જો ફૉર્મ ભરવા માટેની છેલ્લી તારીખ વિશે વાત કરવામાં આવે તો 13 મે 2024 છે.

Pradhan Mantri Awas Yojana 2024

ફોર્મ ભરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?

follow google news

Pradhan Mantri Awas Yojana 2024:  અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફૉર્મ હાલ ભરાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 જગ્યાએ 1055 ઘર બની રહ્યા છે. આ ઘરની ફાળવણી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા થશે. જો ફૉર્મ ભરવા માટેની છેલ્લી તારીખ વિશે વાત કરવામાં આવે તો 13 મે 2024 છે. એવામાં અરજદારો માટે એક ખાસ અને મહત્વપૂર્ણ જાણવા જેવી બાબત છે કે તેમણે એક સોગંદનામુ પણ આપવાનું છે. આ સોગંદનામાં કઈ વિગતો આપવાની છે તેનો એક નમુનો નિચે મુજબ છે. સોગંદનામું ઓનલાઈન ફોર્મ જ સમિટ કરવાનું રહેશે. 

આ પણ વાંચો

ફોર્મ ભરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?

  • કોઈ વ્યક્તિ એકથી વધારે ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રદ થઈ જશે.
  • 18 વર્ષથી ઓછી વયના વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય તો તે રદ થશે.
  • ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે, જો ફોર્મ અધુરું હશે તો પણ તે રદ થશે.
  • વાર્ષિક 3 લાખ રૂપિયાથી વધારે આવક ધરાવતા લોકો ફોર્મ ભરશે તો તેમનું પણ ફોર્મ રદ થશે.
  • અનાતમ કેટેગરીના અરજદારોએ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત કરેલી રકમ ફોર્મ સાથે જોડવાનું રહેશે. જો નકલ નહીં જોડવામાં આવે તો ફોર્મ રદ થશે.
  • ફોર્મમાં ભરેલી માહિતી ખોટી જણાય તો પણ તે રદ થશે.
  • રહેઠાણ અને ઓળખ બંનેના પુરાવા જરૂરી રહેશે. જેમાં ઓળખના પુરાવામાં ફોટો દેખાતો હોવો ફરજિયાત છે, જ્યારે રહેણાંકના પુરાવામાં સરનામું દર્શાવતું હોવું ફરજિયાત છે. જો દસ્તાવેજમાં આ માહિતી ન હોય તો પણ તે રદ થશે. 

આ પણ વાંચો:- EWS આવાસ યોજનાના ફોર્મમાં કેટલી ડિપોઝિટ છે? જાણો, ડ્રોમાં મકાન લાગે તો પૈસા ભરવા કેટલો સમય મળશે

કેટલી હશે મકાનની કિંમત?

EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે. 

    follow whatsapp