BAPS સંસ્થાના મહંત સ્વામીએ PM મોદી માટે લખ્યો પત્રઃ કહ્યું ‘આજે સમાચાર મળ્યા કે…’

Urvish Patel

30 Dec 2022 (अपडेटेड: Dec 30 2022 2:43 PM)

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર માટે હાલનો સમય દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. તેમના માતા હીરા બા કે જેઓ નાદુરસ્ત તબીયતને લઈને અમદાવાદની યુએન મહેતા…

gujarattak
follow google news

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર માટે હાલનો સમય દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. તેમના માતા હીરા બા કે જેઓ નાદુરસ્ત તબીયતને લઈને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા તેમના અવસાનના સમાચારથી તેમના હૃદય પર વજ્રઘાત પડી છે. આજે ગાંધીનગર ખાતેના સ્મશાન ગૃહ પર હીરા બાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દરમિયાન હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંત્વના સંદેશ આપતા બીએપીએસ (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા)ના ગુરુ મહારાજ મહંત સ્વામી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો
ખેડાઃ કપડવંજમાં એક જ પરિવારના 4 સભ્યો સામુહીક આત્મહત્યા કરવા કેનાલમાં કુદયા

મહંત સ્વામીએ શું લખ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહંત સ્વામીએ પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે મહંત સ્વામીને પણ તબીયત સારી રહેતી ન હોવાને કારણે બોલવા સહિત સામાન્ય કામગીરીઓમાં તકલીફો પડી રહી છે ત્યારે લખવું તેમના માટે એટલું સરળ નહીં હોય તેવો અંદાજ આપણે મહંત સ્વામીએ લખેલા પત્ર પરથી લગાવી શકીએ છીએ. તેમણે લખેલા પત્રમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે સમાચાર મળ્યા કે આપના માતા દેવલોક પામ્યા છે. તેઓની આત્માને શાંતિ મળે અને આપને આ દુઃખ સહન કરવાનું બળ મળે તે માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાથના કરી છે. કેશવજીવન દાસના ઘણા જ હૃદયપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ…

PM મોદીના માતા હીરા બાનું શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. મંગળવારે સાંજે શ્વાસ લેવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હીરા બા 99 વર્ષના હતા. આ વર્ષે 18 જૂને જ તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો અને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જોકે આટલી ઉંમરે પણ તેઓ સ્વસ્થ રહેતા હતા અને પોતાના તમામ કાર્યો જાતે જ કરતા હતા.

રિષભ પંતને તરફડિયા મારતો મૂકી લોકો રૂપિયા લૂંટતા રહ્યા? અટકળો થઈ વેગવંતી…

વેપારીઓએ શું જાહેર કર્યું
વેપારીઓએ અહીના બજાર પાસે એક બોર્ડ પર નોંધ લખીને બજાર બંધની જાહેરાત કરી હતી. વડનગર વેપારી એસોશિએશને લખ્યું હતું કે, વડનગરના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું શતાયુ વર્ષમાં અવસાન થયું છે. સમગ્ર નગરજનો ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે. વડનગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શુક્ર-શની અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખવા વિનંતી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp