મોરબીમાં સામૂહિક આપઘાત, માતા-પિતા અને પુત્રએ ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

Morbi Mass Suicide Case: મોરબીમાં એક પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના 3 સભ્યોએ ગળેફાંસો ખાઈને જીવ ટૂંકવ્યો છે.

મોરબીમાં સામૂહિક આપઘાત

Morbi Mass Suicide Case

follow google news

Morbi Mass Suicide Case: મોરબીમાં એક પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના 3 સભ્યોએ ગળેફાંસો ખાઈને જીવ ટૂંકવ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબીમાં સામૂહિક આત્મહત્યા 

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં વેપારી, તેમના પત્ની અને દીકરાએ આપઘાત કર્યો છે. આજે સવારે માતા-પિતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. તો આ બનાવને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.


પોલીસની ટીમ દોડી આવી

હાલ પોલીસ દ્વારા વસંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટમાં હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને તેમના દીકરા હર્ષ હરેશભાઈ કાનાબારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસે પરિવારજનોની હાથ ધરી પૂછપરછ

પોલીસને મળેલ સ્યુસાઈડ નોટમાં અંગત કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી

    follow whatsapp