અમદાવાદ : હિમાચલ પ્રદેશમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતી કાલે જાહેર થવા જઇ રહ્યું છે. જો કે આ દરમિયાન કોંગ્રેસમાં એક મોટો વિવાદ પેદા થયો છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ પાર્ટી વિરુદ્ધ ગતિવિધિ કરવાના આક્ષેપ સાથે 30 જેટલા નેતાઓને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 30 નેતાની હકાલપટ્ટી
વિધાનસભા ચૂંટણીની મતગણતરીની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના આક્ષેપો સાબિત થયા બાદ શિમલા જિલ્લાનાં 30 જેટલા દિગ્ગજ પદાધિકારીઓને હાંકી કાઢ્યા હતા. આ તમામ નેતાઓ 6 વર્ષ સુધી કોંગ્રેસમાં કંઇ પણ કરી શકશે નહી. પ્રતિભાસિંહે કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પ્રતિભા સિંહે બ્લોક કોંગ્રેસ સમિતિ, ચોપાલ તરફથી મળેલા ઠરાવના આધારે આ નિર્ણયો લીધા હતા.
હિમાચલ કોંગ્રેસમાં પરિણામની આગલી સાંજે મોટી કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે હિમાચલ અને ગુજરાતમાં આવતી કાલે પરિણામો જાહેર થવાનાં છે. જેમાં એક્ઝિટ પોલનું સાચુ માનીએ તો હિમાચલમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે. તેવામાં હિમાચલમાં સરકાર બને તે પહેલા કોંગ્રેસમાંથી એક સાથે 30 નેતાઓનો નિકાલ ખુબ જ સુચક છે.
ADVERTISEMENT
