Amreli: બગસરાના સમઢિયાળામાં શ્વાનોનો આતંક, પાંચ બાળકોને કર્યા લોહીલુહાણ

Niket Sanghani

29 Mar 2023 (अपडेटेड: Mar 29 2023 9:08 AM)

અમરેલી: રાજ્યમાં રખડતાં પશુના આતંકથી હજુ છુટકારો નથી મળ્યો ત્યાં શ્વાનોએ આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. હવે રાજ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ અટકવાનું નામ નથી…

gujarattak
follow google news

અમરેલી: રાજ્યમાં રખડતાં પશુના આતંકથી હજુ છુટકારો નથી મળ્યો ત્યાં શ્વાનોએ આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. હવે રાજ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે અમરેલીમાં પણ કુતરાના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બગસરાના સમઢિયાળા ખાતે બે ત્રણ દિવસમાં 5 બાળકોને શ્વાનોએ બચકા ભરી લોહીલુહાણ હાલત કરતા લોકોમાં બહેનો માહોલ ઊભો થયો છે.

આ પણ વાંચો

બગસરાના સમઢિયાળામાં શ્વાનોનો આંતક સામે આવી રહ્યો છે. એક બાદ એક એમ પાંચ બાળકોને શ્વાનોએ શિકાર બનાવ્યો છે. ત્યારે હવે શ્વાનોના આતંકથી સમઢિયાળા ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. બે દિવસમાં 5 બાળકોને ગંભીર ઈજાઓ કરતા 3 બાળકો અમરેલીમાં 1 રાજકોટમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતભરમાં શ્વાન કરડવાની ઘટનાઓમાં થઈ રહેલ વધારો ચિંતાજનક છે. ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં શ્વાન કરડવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ સુરતમાં બાળકનો ભોગ શ્વાન ક્રદવાથી લેવાઈ ચૂક્યો છે. ત્યારે હવે અમરેલીના બગસરા તાલુકામાં બે થી ત્રણ દિવસમાં પાંચ જેટલા બાળકોને બચકાં ભરી લેવાની ઘટનાથી હાહાકાર મચ્યો છે.  બાળકોને બહાર રમવા મોકલતા ડરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે નક્કર  પગલાં લેવા જરૂરી બન્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મિત્રની પત્ની સાથે આડાસંબંધનો કરુણ અંજામ, ગુમ યુવકની ટુકડા કરેલી લાશ કેનાલમાંથી મળી

સુરતમાં શ્વાને લીધો હતો બાળકનો ભોગ  
બે ત્રણ દિવસમાં શ્વાનોના કહેરથી હાહાકાર મચ્યો છે. હજુ થોડા દિવસ પહેલા સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં 6 વર્ષના બાળક પર શૌચ કરતી વખતે કેટલાંક કૂતરાઓએ હુમલો કર્યો હતો. કૂતરાઓના આ હુમલામાં બાળકના શરીર પર ઘણા ઊંડા ઘા હતા, જેના કારણે બાળકનું મોત થયું હતું. ત્યારે હવે અમરેલીમાં શ્વાનોના આતંકથી લોકો ભયના ઓથ હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp