Arvind Kejriwal Gujarat Visit: આવતીકાલથી કેજરીવાલ ગુજરાત પ્રવાસે, રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા જશે

Yogesh Gajjar

• 08:32 AM • 06 Jan 2024

Arvind Kejriwal Gujarat Visit News: આવતીકાલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સાથે ગુજરાત આવતા…

gujarattak
follow google news

Arvind Kejriwal Gujarat Visit News: આવતીકાલે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સાથે ગુજરાત આવતા કેજરીવાલ લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે. આ સાથે જ તેઓ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ મળવા માટે પહોંચશે.

આ પણ વાંચો

શું હશે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ?

ગુજરાત Takને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલ આવતીકાલે બપોરે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ 1 વાગ્યે નેત્રંગમાં જનસભાને સંબોધશે. આ બાદ સાંજે 7 વાગ્યે તેઓ પ્રદેશ આગેવાનો સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે અને વડોદરામાં જ રાત્રિ રોકાણ કરશે. આ બાદ તેઓ સોમવારે 11 વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા માટે પહોંચશે. તેમની મુલાકાત માટે જેલ તંત્ર તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

    follow whatsapp