Building collapses in Surat Gujarat: સુરતમાં 5 માળની બિલ્ડીંગ ધરાશાયી, 2ને બચાવી લેવાયા, હજુ ત્રણ દબાયાની આશંકા

Surat News: સુરતમાં 5 માળની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી બિલ્ડીંગ અચાનક પડી જતા 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 6 જેટલા લોકો હજુ પણ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.

Surat News

સુરત સમાચાર

follow google news

Building collapses in Surat Gujarat : સુરતમાં પાંચ માળની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તો 5 જેટલા લોકો કાટમાળમાં દબાયા હતા. જોકે બે લોકોનું રેસ્ક્યૂ કરાઈ ચૂક્યું છે. હજુ ત્રણ કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે.

બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડીંગને 2017માં જ બનાવવામાં આવી હતી, ત્યારે 7 વર્ષના જેટલા સમયગાળામાં જ બિલ્ડીંગ ધરાશાયી થતા હવે તેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ જવાબદાર સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ હાથ ધરી દેવાઈ છે.

દુર્ઘટના સમયે બિલ્ડીંગમાં 2-3 પરિવાર આરામ કરી રહ્યા હતા

ઘટનાને લઈને સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.30ના કાઉન્સિલર ચિરાગ સોલંકીએ જણાવ્યું હતું કે, 5 માળની બિલ્ડિંગમાં પાંચથી છ પરિવાર રહેતા હતા. મોટાભાગના મજૂર હતા. આશંકા એવી છે કે 2થી 3 પરિવાર અંદર આરામ કરી રહ્યા હતા અને બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ.

કલેક્ટર-પોલીસ કમિશનર ઘટનાસ્થળે

ઘટનાની જાણકારી મળતા જ ચોર્યાસીની ધારાસભ્ય સંદીપ દેસાઈ ત્યાં પહોંચી ગયા હતા. તો સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરની ટીમે કાટમાળમાંથી એક મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી છે. 

પોલીસે શું કહ્યું?

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પોલીસને ઈમારત ધરાશાયી થયાની 5 મિનિટ બાદ માહિતી મળી હતી. ઉચ્ચ અધિકારીઓ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ 30 ફ્લેટની સ્કીમ હતી. તેમાં 5 થી 6 પરિવારો રહેતા હતા. અલગ અલગ જગ્યાએ કામ કરતા અન્ય મજૂરો પણ ત્યાં રહેતા હતા. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી એક મહિલાને બહાર કાઢી છે. ચોકીદારનું કહેવું છે કે બિલ્ડિંગમાં 5-6 લોકો હતા. બચાવ કાર્ય હજુ ચાલુ છે. એફએસએલની ટીમ પહોંચી છે. તપાસમાં જે પણ બેદરકારી જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp