RBIની કાર્યવાહી બાદ આ બેંકની હાલત ખરાબ... બે દિવસમાં રૂ.47,000 કરોડ સાફ! શેર 13% ગગડ્યો

Gujarat Tak

• 03:52 PM • 27 Apr 2024

Kotak Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી બાદ કોટક મહિન્દ્રા બેંકની હાલત ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં તેના શેરમાં 13 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે.

Kotak Bank

Kotak Bank

follow google news

Kotak Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોટી કાર્યવાહી બાદ કોટક મહિન્દ્રા બેંકની હાલત ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં તેના શેરમાં 13 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. ગુરુવારે તેના શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે શુક્રવારે આ બેંકના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો

ગુરુવાર અને શુક્રવાર વચ્ચે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં થયેલા ઘટાડાને કારણે બેંકની માર્કેટ કેપમાં પણ તીવ્ર ઘટાડો થયો છે અને તે ઘટીને 3.19 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. આવી સ્થિતિમાં તેણે દેશની ચોથી સૌથી મોટી બેંકનો દરજ્જો પણ ગુમાવી દીધો છે. હવે દેશની ચોથી સૌથી મોટી બેંક એક્સિસ બેંક છે.

એક્સિસ બેંકે કોટક મહિન્દ્રા બેંકને પાછળ છોડી

માર્ચ ક્વાર્ટરના મજબૂત પરિણામો પછી એક્સિસ બેન્કે તેના શેરમાં લગભગ પાંચ ટકાનો વધારો નોંધાવ્યો છે, જેના કારણે તેનું માર્કેટ કેપ વધીને રૂ. 3.48 લાખ કરોડ થઈ ગયું છે, જે કોટક મહિન્દ્રા બેન્ક કરતાં વધુ છે. એક્સિસ બેન્કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ₹7,130 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેની સરખામણીએ ગયા વર્ષના સમાન ગાળામાં ₹5,728.4 કરોડની ખોટ થઈ હતી.

કોટક મહિન્દ્રા બેંકને ઘણું નુકસાન થયું

આરબીઆઈની કાર્યવાહી પહેલા બુધવારે કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી 3.66 લાખ કરોડ રૂપિયા હતી, જે છેલ્લા બે દિવસમાં ઘટીને 3.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે કોટક મહિન્દ્રા બેંકને તેના માર્કેટ કેપમાં 47000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગુરુવારે જ કોટક મહિન્દ્રા બેંકના માર્કેટ કેપમાં 36 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

કોટક મહિન્દ્રા પર RBIએ કયા નિયંત્રણો લાદ્યા?

મોટી કાર્યવાહી કરતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંકને નવા ગ્રાહકોને ઓનલાઈન ઉમેરવા અને નવા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપવાથી રોકી દીધી છે. આરબીઆઈએ કહ્યું કે તેને 2022 અને 2023 માટે આઈટી ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ અને ડેટા સિક્યુરિટીમાં "ગંભીર ખામીઓ અને બિન-અનુપાલન" જોવા મળી છે. આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલ આ પ્રતિબંધ વર્તમાન ગ્રાહકોને અસર કરશે નહીં.
 

    follow whatsapp