Mehul Boghara Case: સાજન ભરવાડના વકીલ મીનેશ ઝવેરી બાર એસોશીએશન માંથી સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વકીલ મેહુલ બોઘરા કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. સુરતના સરથાણામાં રહેતા અને એડવોકેટ મેહુલ બોધરાને ફેસબુક લાઇવ કરવા મામલે   જીવલેણ હુમલાનો શિકાર થવું પડ્યું. પોલીસ ચોકીથી માત્ર 50 મીટરના અંતરે જ ટીઆરબી જવાન સાજન ભરવાડે લાકડાના ફટકા વડે  હુમલો કર્યો હતો. આ મામલે સુરત જિલ્લા બાર એસો. મેહુલ બોઘરાના સમર્થનમાં આવ્યું હતું. મેહુલ બોઘરાના આરોપી સાજન ભરવાડનો કેસ સુરત જિલ્લા વકીલ મંડળના કોઈ પણ સભ્યને ન લડવા કહ્યું હતું.  ત્યારે હવે સાજન ભરવાડના વકીલ મીનેશ ઝવેરીને ડિસ્ટ્રિક બાર એસો. માંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં બહુચર્ચિત સાજન ભરવાડ- મેહુલ બોઘર કેસમાં. મેહુલ બોઘરાના સમર્થનમાં સુરત જિલ્લા બાર એસોસીએશન આવ્યું હતું અને 60થી વધુ હોદેદારોએ નિર્ણય કર્યો હતોકે જિલ્લાના વકીલ મેહુલ બોઘરાના આરોપીના વકીલ તરીકે બચાવ માટે સુરત જિલ્લા વકીલ મંડળના કોઈ પણ સભ્યએ વકીલાત પત્ર ફાઇલ ન કરવા વિનંતી કરી હતી . એટલે કે, કોઈ પણ વકીલ મેહુલ બોઘરાના આરોપીનો કેસ નહીં લડે. ત્યારે સાજન ભરવાડના વકીલ તરીકે મીનેશ ઝવેરીએ વકીલાત પત્ર ફાઇલ કર્યું હતું. જેને લઈને એડવોકેટ મીનેશ ઝવેરીને સુરત જિલ્લા બાર એસોશીશન માંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અંગત અદાવત રાખી સસ્પેન્ડ કર્યો 
આ મામલે ગુજરાતતકે સાજન ભરવાડના વકીલ મીનેશ ઝવેરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિને બંધારણીય અધિકાર છે સ્વબચાવ કરવાનો. પોતાના પસંદગીના વકીલ રાખવાનો. સાજન ભરવાડે વકીલ તરીકે મને રોક્યો હતો . બંધારણીય રીતે હું ના કહી શકું નહીં. પક્ષકકે કાયદાકીય અધિકારનો ઉપયોગ કર્યો હતો.  મને વેરવૃતિ અને અંગત અદાવત રાખી અને સુરત જિલ્લા બાર એસોશીએશન માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT