Arvind Kejrivalનો પ્રહાર, હાર જોઈને ભાજપ ડરી ગઈ છે એટલે હુમલાઓ કરાવી રહી છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ગુજરાતમાં દેશના દિગ્ગજનેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ છે આ સાથે યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા પણ રાજકોટમાં છે. આ સાથે આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલે સુરતમાં મનોજ સોરઠિયા પર થયેલ હુમલા બાબતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તમને કહ્યું કે આ પ્રકારનો હુંમલો દર્શાવે છે કે તે હારી રહ્યા છે.

મનોજ સોરઠિયા પર થયેલ હુમલા બાબતે અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા કહ્યું કે, ભગવાનની મૂર્તિ સામે મનોજ સોરઠિયા પર હુમલો કરવામાં આવ્યો. આ ગુજરાતની સંસ્કૃતિ નથી. આ ભારતની સંસ્કૃતિ નથી. આ આપણાં સંસ્કાર નથી. ગુજરાતના 6 કરોડ લોકોને ખબર પડી કે આમ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ ગુસ્સે થયા છે. આ લોકોની ગુંડાગીરી એટલી વધી રહી છે કે તે દરેક જગ્યાએ લોકોને ધમકાવે છે ડરાવે છે.

આ પ્રકારનો હુંમલો દર્શાવે છે કે તે હારી રહ્યા છે. આ હુમલો એ દર્શાવે છે કે તે લોકો પરેશાન છે. તેમણે ખબર નથી કે તે શું કરે તેમને હારનો ડર છે. અમે કોંગ્રેસ નથી. તમે કોંગ્રેસની સામે હતા અને અમે આમ આદમી પાર્ટી છીએ. અમે સરદારને માનીએ છીએ. ભગતસિંહને માનીએ છીએ. તમને લાગે કે હુમલો કરી અને અમને ડરવશો તો અમે કાયર નથી. અમે સામનો કરીશું. હું લોકોને કહેવા માંગુ છું કે આપડે ધીરજ રાખવી પડશે. આવનાર સમયમાં આ લોકો ખૂબ જ હુમલાઓ કરાવશે. આવનાર સમયમાં આ લોકો જનતા પર પણ હુમલા કરાવશે. જનતામાંથી કોઈ કહેશે કે અમે આમ આદમી પાર્ટી ને વોટ આપશુ તો તે તેમની પર હુમલો કરાવશે. આપડે શાંતિ રાખવી પડશે. આપડે હિંસા નથી કરવાની. ચૂંટણીના દિવસે બટન દબાવી ગુસ્સો કાઢજો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT