રોહિત શર્મા Mumbai Indians ની પ્લેઈંગ XIમાંથી બહાર, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં પહેલીવાર થયું આવું

ADVERTISEMENT

Mumbai Indians
Mumbai Indians
social share
google news

MI vs KKR : IPL 2024 સીઝનની 51મી મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન વિશે માહિતી આપી હતી. તેની સાથે જ રોહિત શર્માના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. કારણ કે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં પહેલીવાર રોહિત શર્માને મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું અને તે હવે એક ખાસ નિયમ હેઠળ બેટિંગ કરતો જોવા મળશે.

રોહિત શર્મા કેમ બહાર થયો?

વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વાનખેડે મેદાન પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પહેલાથી જ તેની પ્લેઈંગ ઈલેવનમાં એક વધારાનો બોલર સામેલ કર્યો. જે અંતર્ગત રોહિત હવે મુંબઈ અને KKR વચ્ચેની મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતા જોવા નહીં મળે અને તેને ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદીમાં રાખવામાં આવ્યો છે. એટલે કે જ્યારે મુંબઈની ટીમ KKR સામે ચેઝ કરવા ઉતરશે ત્યારે રોહિત શર્મા ઓપનિંગ કરતો જોવા મળશે, પરંતુ હવે તે KKR સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન હાર્દિક પંડ્યાની મદદ કરતો જોવા મળશે નહીં.

મોહમ્મદ નબી પણ બહાર છે

KKR સામેની મુંબઈ ઈન્ડિયન્સની ટીમની વાત કરીએ તો, રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવા સિવાય તેણે પોતાની ટીમમાં પણ મોટો ફેરફાર કર્યો છે. હાર્દિક પંડ્યાએ મોહમ્મદ નબીને પડતો મૂક્યો અને તેની જગ્યાએ નમન ધીરને સામેલ કર્યો. બીજી તરફ KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે KKR ટીમ મુંબઈ સામે જીત મેળવીને પ્લેઓફની નજીક પહોંચવા ઈચ્છશે. બીજી તરફ મુંબઈની ટીમે પ્લેઓફની રેસમાં રહેવા માટે દરેક મેચ જીતવી પડશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT