શહીદ ભગત સિંહના ક્રાંતિકારી વિચારો, જે તમારૂં જીવન બદલી નાખશે

23 MAR 2024

1931 માં આ જ દિવસે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવે દેશની આઝાદીનું સપનું પોતાના દિલમાં રાખીને સ્મિત સાથે ફાંસીને માચળે ચડી ગયા હતા

આ ત્રણેય દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપવા માટે 23મી માર્ચે એટલે કે આજે શહીદ દિવસ ઉજવવામાં આવે છે

આ અવસર પર તમારા માટે શહીદ ભગત સિંહના કેટલાક અમૂલ્ય વિચારો કે જે તમારું જીવન બદલી નાખશે

"મૃત્યુ પછી પણ મારા દિલમાંથી દેશની સુવાસ નહિ જાય, દેશની સુવાસ મારી માટીમાંથી પણ આવશે"

"મને પણ જીવંત રહેવાની ઈચ્છા છે, પણ હું મારું જીવન કેદમાં વિતાવવા માંગતો નથી"

"ટીકા અને સ્વતંત્ર વિચાર એ ક્રાંતિકારીના બે આવશ્યક ગુણો છે"

"આઝાદીની ઇચ્છા હવે આપણા હૃદયમાં છે, ચાલો જોઈએ કે ખૂનીમાં કેટલી તાકાત છે"

"મારી કલમ મારી લાગણીઓથી એટલી વાકેફ છે કે મારે પ્રેમ લખવો હોય તો પણ ક્રાંતિ લખાય છે"

"તેઓ મને મારી શકે છે, પરંતુ તેઓ મારા વિચારોને મારી શકતા નથી. તેઓ મારા શરીરને કચડી શકે છે, પરંતુ તેઓ મારા આત્માને કચડી શકશે નહીં"