સંકટ ચોથ પર 100 વર્ષ બાદ શુભ યોગ, આ 3 રાશિના જાતકો પર થઈ શકે ધનવર્ષા

આ વર્ષે સંકટ ચતુર્થીનો તહેવાર 29 જાન્યુઆરીએ આવે છે. આ દિવસે મહિલાઓ સંતાનની ઉન્નતિ અને ખુશી માટે વ્રત રાખે છે.

આ વખતે સંકટ ચોથ પર મંગળ, શુક્ર અને બુધ ધન રાશિમાં એકસાથે હશે. આ દિવસે 100 વર્ષ બાદ શોભન યોગ બનશે.

જ્યોતિષવિદોનું કહેવું છે કે સંકટ ચોથ પર બની રહેલો દુર્લભ સંયોગ 3 રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થઈ શકે છે.

વૃશ્ચિકઃ આ રાશિના જાતકોને ધનલાભ થશે. કરિયરમાં સુધારો આવશે. બિનજરૂરી ચિંતાઓ દૂર થશે. રોકાણમાં લાંબા સમય સુધી લાભ થશે.

અટકેલા નાણા પાછા મળી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

કુંભ: આ જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સંબંધની સમસ્યા ઉકેલાશે. કાર્ય સ્થળે માન-સન્માન પ્રાપ્ત થશે.

બાળકોની એકાગ્રતા વધુ સારી થશે. માતા-પિતા સાથે સંબંધો સારા થશે. જૂના રોગથી છુટકારો મળી શકે છે.

મીન: સંપત્તિ સાથે જોડાયેલા કામો થશે. ધન લાભનો યોગ બની રહ્યો છે. યાત્રાથી લાભ પ્રાપ્ત થશે. સૂર્યને જળ અર્પણ કરો.

એક્ટ્રેસ કેમેરા સામે બની Opps મોમેન્ટનો શિકાર, સ્ટાઈલના ચક્કરમાં કરી નાખ્યું બ્લન્ડર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો