IPL: લખનૌ સામે હાર્યા બાદ શું હજુ MI પ્લેઓફમાં પહોંચી શકે છે?

LSG સામે મુંબઈના 5 રને પરાજય બાદ IPLમાં પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે.

જોકે 13 મેચમાં 14 પોઈન્ટ મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ પ્લેઓફની રેસમાં છે.

પરંતુ આ માટે તેણે SRH સામેની મેચ જીતવા સાથે બીજી ટીમના પરિણામ પર આધાર રાખવો પડશે.

MI હૈદરાબાદ સામેની મેચ જીતશે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. જોકે તેની સાથે CSK, LSG અને RCB પણ રેસમાં છે.

હાલમાં RCBના 12 મેચમાં 12 પોઈન્ટ છે, જો તે છેલ્લી બંને મેચ જીતી જશે તો પ્લે ઓફની રેસમાં MIથી આગળ નીકળી જશે.

RCBની રનરેટ પર હાલમાં મુંબઈ કરતા ઘણી સારી છે, એવામાં તે બેમાંથી કોઈ એક મેચા હારે તો મુંબઈને સીધો ફાયદો થશે.

લખનઉ અને ચૈન્નઈ પણ પોતાની છેલ્લી મેચ જીતશે તો તેઓ 17 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા ક્રમે પહોંચી જશે.