Screenshot 2024 07 20 165554

ગુરુપૂર્ણિમા પર ક્યારેય ન કરતા આ ભૂલો, વધી જશે મુશ્કેલીઓ

image
Screenshot 2024 07 20 165621

આ વખતે ગુરુ પૂર્ણિમા 21મી જુલાઈ એટલે કે આવતીકાલે મનાવવામાં આવશે. ગુરુ પૂર્ણિમાના દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

Screenshot 2024 07 20 171049

હિન્દુ પંચાગ અનુસાર, અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા મનાવવા આવે છે. આ દિવસે વ્યક્તિને અન્નદાન કરવામાં આવે છે.

212eee8127dc8b5ffe1bc35f68567395

માન્યતા છે કે અન્ન દાન કરવાથી લોકોના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. સાથે જ આ દિવસે વ્યક્તિએ સ્નાન-ધ્યાન કર્યા બાદ ગુરુની પાસે જઈને તેમની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ.

જ્યોતિષનું માનીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. ચાલો જાણીએ આ ભૂલો વિશે. 

શાસ્ત્રો અનુસાર, આ દિવસે શિષ્યએ ગુરુની સમાન ન બેસવું જોઈએ. સાથે જ શિષ્યએ ગુરુની સામે જમીન પર બેસવું જોઈએ.

આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ગુરુ પાસેથી શિક્ષા લેતી વખતે શિષ્યએ કોઈ પણ વસ્તુનો સહારો ન લેવો જોઈએ.

ગુરુની સામે ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ. હંમેશા તેમના માટે દક્ષિણા લઈને જવું જોઈએ.

તમારા ગુરુની દરેક વાતનું માન રાખવું જોઈએ અને તેમની શીખને જીવનમાં ઉતારવી જોઈએ.

કોઈએ પણ પોતાના ગુરુ વિશે ખરાબ ન બોલવું જોઈએ. આવું કરવું સૌથી મોટું પાપ છે.