મનુષ્ય પાપ કરવા માટે કેમ મજબૂર થાય છે? ગીતામાં ભગવાન કૃષ્ણએ જણાવ્યું હતું કારણ

મહાભારત યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણએ અર્જુનને કેટલાક ઉપદેશ આપ્યા હતા. જે બાદ અર્જુન માટે યુદ્ધ જીતવાનું સરળ બની ગયું.

અર્જુને ત્યારે ભગવાન કૃષ્ણને પૂછ્યું હતું, ક્યારેક મનુષ્ય પાપ કરવા માટે કેમ મજબૂર થઈ જાય છે? તેને કોણ મજબૂર કરે છે?

આનો જવાબ આપતા કૃષ્ણ કહે છે, મનુષ્યની વાસના અને નિહિત સ્વાર્થ તેને પાપ કરવા મજબૂર કરે છે. આ મનુષ્ય માટે સૌથી મોટા દુશ્મન છે.

કૃષ્ણ આગળ કહે છે, મનુષ્યનો ક્રોધ અને મોહ તેનાથી પાપ કરાવે છે. માનવો માટે શત્રુઓ માટે ઓળખવા ખૂબ જરૂરી છે.

ભગવાન કહે છે, ક્રોધથી ભ્રમ પેદા થાય છે. ભ્રમથી બુદ્ધિ વ્યાગ્ર થાય છે જેનાથી તર્કનો નાશ થાય છે. આથી વ્યક્તિનો પતન શરૂ થાય છે.

મનુષ્યના મન અને ઈન્દ્રિયોમાં કામનાનો વાસ હોય છે. કામના જ મનુષ્યની સૌથી મોટી દુશ્મન છે આ જ પતનનું કારણ છે.

ભગવાન કૃષ્ણ કહે છે, જેમ ધુમાડો અગ્નિને ઢાંકી દે છે. તેમ કામ, મોહ અને વાસના મનુષ્યના જ્ઞાનને ઢાંકી દે છે.