ક્યારેય નથી ગયા સ્કૂલ, નેત્રહીન હોવા છતાં પણ જાણે છે 22 ભાષાઓ, જાણો કોણ છે રામભદ્રાચાર્ય
એક બાળક જેણે તેની પ્રથમ કવિતા 3 વર્ષની ઉંમરે લખી હતી. એટલું જ નહીં માત્ર 7 વર્ષની ઉંમરે તેણે 60 દિવસમાં શ્રી રામચરિતમાનસની 10,900 ચોપાઈ અને શ્લોકો કંઠસ્થ કરી લીધા.
જી હાં, અહીં અમે બીજા કોઈની નહીં પરંતુ જગદગુરુ શ્રી રામભદ્રાચાર્યની વાત કરી રહ્યા છીએ.
રામભદ્રાચાર્યજીનું સાચું નામ ગિરધર મિશ્રા છે
તમે બધા આચાર્ય રામભદ્રાચાર્યજીથી પરિચિત જ હશો.
જગદગુરુનો જન્મ 14 જાન્યુઆરી 1950ના રોજ ચિત્રકૂટમાં થયો હતો.
રામભદ્રાચાર્યજીએ બીમારીના કારણે જન્મના 2 મહિના પછી જ તેમની બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે રામભદ્રાચાર્યજી ક્યારેય શાળાએ ગયા નથી.
પરંતુ દિવ્ય દ્રષ્ટિથી તેમણે લગભગ 80થી વધુ ગ્રંથોની રચના કરી. તેઓ 22થી વધુ ભાષાઓના જાણકાર છે.
વર્ષ 2015માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
આ શખ્સ કરે છે નીતા અંબાણીનો મેક-અપ, દરરોજ કમાય છે 1 લાખ રૂપિયા -