જ્યોતિષમાં અમાવસ્યા તિથિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને તર્પણ અને તેમના નામે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ વખતે અષાઢ અમાવસ્યા 5 જુલાઈ, શુક્રવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે શ્રીહરિ, ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.
આ વખતે અષાઢ અમાસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે શનિ કુંભ રાશિમાં રહીને શશ રાજયોગનું નિર્માણ કરશે.
સાથે જ શનિ 29 જૂનના રોજ કુંભમાં વક્રી ચાલ એટલે ઉલટી ચાલ ચાલી ચૂક્યા છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કે અષાઢ અમાવસ્યા પર બનવા જઈ રહેલા શનિના યોગથી કઈ રાશિઓને લાભ થશે.
મિથુનઃ અષાઢ અમાવસ્યા પર શનિનો સંયોગ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આગામી થોડા દિવસોમાં પ્રગતિ થવાની સંભાવના છે. સાથે જ શનિની કૃપાથી ઢૈચ્યાનો પ્રભાવ ઘટશે. મિથુન રાશિના જાતકોને વેપારમાં સફળતા મળશે. નવા લોકો સાથે મુલાકાત થશે.
મકરઃ અષાઢ અમાવસ્યા પર શનિના સંયોગથી મકરના જાતકોને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. મોટી ખુશખબરી મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સહકર્મીઓનો સાથ પ્રાપ્ત થઈ શકે છે.
કુંભઃ અષાઢ અમાવસ્યા પર શનિના સંયોગથી કુંભ રાશિના જાતકોને દરેક કામમાં સફળથા મળશે. મહેનતનું સારું ફળ પ્રાપ્ત થશે. નોકરીમાં નવી તકો મળશે. કુંભ રાશિના જાતકોને ખુશીઓ પ્રાપ્ત થશે.