રેલવેનો આ હેલ્પલાઈન નંબર મોબાઈલમાં સેવ કરી રાખો, મુસાફરીમાં ખૂબ કામ આવશે

ભારતીય રેલવેમાં રોજ હજારોની ટ્રેન દોડે છે, જેમાં લાખો પેસેન્જરો મુસાફરી કરે છે. યાત્રામાં મુસાફરોને ખાણી-પાણી કે અન્ય સમસ્યાઓ આવતી હોય છે.

આ સમસ્યા માટે તમે 139 નંબર પર ફરિયાદ કરી શકો છો, તમારે ફોનથી 139 ડાયલ કરીને આગળના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

ભારતીય રેલવીની IVRS એટલે કે ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ પર આધારિત 139 પર અલગ-અલગ ભાષામાં સૂચના મળે છે.

જેમાં સુરક્ષા સહાયતા, ચિકિત્સા સહાયતા અથવા દુર્ઘટના સહાયતા માટે 1 નંબર પ્રેસ કરવાનો હોય છે.

રેલવે સંબંધિત પૂછપરછ માટે 2, ખાણી-પીણી માટે 3, સામાન્ય ફરિયાદ માટે 4, ભ્રષ્ટાચારની ફરિયાદ માટે 5 નંબર છે.

પાર્સલ અને માલભાડા સંબંધિત પૂછપરછ માટે 6, IRCTC દ્વારા સંચાલિત ટ્રેનોની જાણકારી માટે 7 નંબર છે.

અન્ય ફરિયાદનું સ્ટેટસ જાણવા 9 તથા ગ્રાહક સેવા પ્રતિનિધિ સાથે વાત કરવા સ્ટાર (*) દબાવવાનું હોય છે.

તમારે ચાલુ ટ્રેનમાં કોઈ ફરિયાદ નોંધાવવા માટે પોતાનો સીટ નંબર અને PNR નંબર આપવો પડે છે.

બેકલેસ ડ્રેસમાં 38ની એક્ટ્રેસની એન્ટ્રી, જોઈને યુઝર્સ પણ બોલ્યા-ફાયર હૈ... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો