અંગદાતાઓની સ્મૃતિમાં “અમર કક્ષ” નું અમદાવાદમાં કરવામાં આવ્યું લોકાર્પણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા “અમર કક્ષ”નું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ
બ્રેઇનડેડ દર્દીઓના પરિવારજનોને અંગદાન માટે કાઉન્સેલીંગ વખતે આ કક્ષ સકારાત્મક વાતાવરણ ઉભુ કરશે
અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ તૈયાર કરવામાં આવ્યું છે.
આ કક્ષમાં અંગદાતાના ફોટા મૂકવામાં આવ્યા છે. જેને લોકો શ્રધ્ધાંજલિ અર્પણ કરી શકશે
અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવી આરોગ્યમંત્રીએ આશા વ્યક્ત કરી
સિવિલ હોસ્પિલમાં થયેલ 109 અંગદાન દ્વારા 330 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે : ઋષિકેશ પટેલ