પેટ કેમ ફુલી જાય છે? ગેસ્ટ્રો ડોક્ટર પાસેથી જાણો કારણ અને ઉપાય

5 jan 2023

બ્લોટિંગ સામાન્ય રીતે એવી સ્થિતિને કહેવાય છે જ્યારે કંઈપણ ખાવા કે પીવાથી તમારું પેટ ફૂલવા લાગે.

આ સમસ્યા કોમન છે અને મોટાભાગના લોકોને તેનો સામનો કરવો પડે છે. આનાથી ઘણીવાર અસહજ અનુભવાય છે અને પેટમાં દુઃખાવો થાય છે.

ડોક્ટરે વી.કે મિશ્રા (ગેસ્ટ્રો અને લિવર) ગેસ્ટ્રોલિવર હોસ્પિટલ કાનપુરે એક વીડિયોમાં બ્લોટિંગ વિશે ઘણું બધું જણાવ્યું.

ડો. વી.કે મિશ્રા કહે છે, બ્લોટિંગ તમે કેટલું ખાઓ છે અને કેટલું ઝડપી ખાઓ છો તેના પર આધારિત હોય છે.

જો ખોરાકમાં મીઠું, ખાંડ અને તેલ વધારે હોય તો તમારું પેટ ફુલશે કારણ કે આ ત્રણેય વસ્તુ પાણીને રોકીને રાખે છે.

'પેટમાં ગૈસ્ટ્રાઈટિસ, કોઈ સમસ્યા, અલ્સર, ઈરિટેબલ બાઉસ સિન્ડ્રોમ હોય તો આવી બીમારીથી પેટ ફુલી જાય છે.'

'આ માટે તમારે ખાવા પીવા પર ધ્યાન આપવાની જરૂર છે. તમે ગેસ વાળા ફૂડ જેમ કે રાજમા, સ્પ્રાઉટ વગેરે ટાળવા. સોડાવાળી ડ્રિંકથી પણ પેટમાં ગેસ બને છે.'

ખોરાકમાં વ્હાઈટ બ્રેડ, સુગર, મેંદા જેવી વસ્તુથી પેટમાં ગેસ બને છે અને પેટ ફુલી જાય છે. તમારા ફૂડમાં ફેટ ઓછું કરવું જોઈએ.

વિજ્ઞાન માને છે કે તમે વધારે મીઠું ખાઓ તો પણ પેટ ફુલવાની સમસ્યા આવી શકે. પેઈન કિલર અને સ્ટોરોઈડના સતત ઉપયોગથી પણ પેટ ફુલી જાય છે.

જો તમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે. ઊંઘી રહ્યા નથી, એક્સરસાઈઝ નથી કરી રહ્યા, યોગ્ય ડાયેટ ન લો તો પણ પેટ ફુલશે.

ક્લેવેંડર ક્લીનિક મુજબ, પુદીના, કૈમોમાઈલ, આદુ, હળદર અને વરિયાળી સહિત હર્બલ ચા પાચનમાં મદદ કરી શકે અને ગેટને પાસ કરી શકે છે.

પેપરમિંટ ઓઈલ કેપ્સૂલ એક પ્રાકૃતિક એન્ટીસ્પાસ્મોડિક છે, તે આંતરડામાં માંસપેશીઓને આરામ આપવામાં મદદ કરે છે.

મેગ્નેશિયમનો ખોરાક પેટના એસિડને બેઅસર કરીને આંતરડાની માંસપેશીઓને આરામ આપવામાં મદદ કરે છે.

પાણી તમને ભોજનની વચ્ચે પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે, જેનાથી તમે વધારે નથી ખાતા. આથી સમય-સમય પર પાણી પીવો.