હંસરાજ રઘુવંશીના રામ ભજને PM મોદીનું જીતી લીધું દિલ, જાણો તેમની સંઘર્ષની કહાની

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી 22 જાન્યુઆરીએ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે.

આ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીનું ભજન શેર કર્યું છે.

હંસરાજ રઘુવંશીનો જન્મ 18 જુલાઈ 1992ના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો.

તેમણે પ્રાથમિક શિક્ષણ હિમાચલની સ્કૂલમાંથી જ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓએ B.com માટે સુંદરનગર મંડીની MLSM કોલેજમાં એડમિશન લીધું હતું.

તેઓએ જણાવ્યું કે, તેમને ભણવામાં જરાય રસ નહોતો, તેઓ એક જ ધોરણમાં ચાર વખત નાપાસ થયા હતા.

તેમને ગાવાનો ઘણો શોખ હતો, ગાવાના શોખને કારણે પૈસાની જરૂર હતી અને ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓએ તેમની કોલેજની કેન્ટીનમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

હિમાચલમાં થોડા દિવસ સુધી મજૂરીકામ કરીને તેમણે પહેલું ગીત 'બાબાજી' કંપોઝ કરાવ્યું હતું. જે યુટ્યુબ પર હિટ થઈ ગયું હતું.

'મેરા ભોલા હૈ ભંડારી' ભક્તિ ગીતે હંસરાજને રાતોરાત લોકપ્રિય બનાવી દીધા હતા.

તેઓએ ગયા વર્ષે જ અભિનેત્રી કોમલ સકલાની સાથે લગ્ન કર્યા છે.

મલાઈકા-અર્જુનનો સંબંધ તૂટ્યો! લગ્ન માટે નથી તૈયાર, થઈ ગયું બ્રેકઅપ? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો