બોલીવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાના લગ્નનની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. હવે તેને લઈને નવી ડિટેઈલ્સ સામે આવી છે.
માહિતી છે કે રાઘવ અને પરિણીતી ઉદયપુરમાં આ મહિને લગ્ન કરશે. વિશ્વ પ્રસિદ્ધ હોટલ લીલા પેલેસ અને ઉદય વિલાસમાં 23 અને 24 સપ્ટેમ્બરે લગ્નનો સમારંભ હશે.
આ લગ્નમાં 200થી વધુ મહેમાનોના રોકાવાની વ્યવસ્થા કરાઈ છે. 50થી વધુ વીવીઆઈપી ગેસ્ટ પણ શામેલ હોઈ શકે છે. સાથે જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પણ લગ્નમાં આવશે.
હોટલની બુકિંગ પછી હવે બંને હોટલ્સમાં લગ્નની અલગ-અલગ વિધિઓની તૈયારી શરૂ કરી દીધી છે. આ લગ્નમાં દિલ્હી CM કેજરીવાલ અને પંજાબ CM માન પણ હાજર રહેશે.
હોટલથી જોડાયેલા સૂત્રો અનુસાર, 23 સપ્ટેમ્બરે ઉદયપુરમાં પીઠી-મહેંદી અને સંગીતની વિધિ હશે. લગ્નના પછી ગુરુગ્રામમાં રિસેપ્શન હશે.
આ બંને હોટલ્સ ઉપરાંત આસપાસની 3 હોટલ્સમાં પણ બુકિંગ કરાવાઈ હતી. વીવીઆઈપી ગેસ્ટને લઈને હોટલ્સમાં અધિકારીઓએ નિરીક્ષણ કરી છે.
2 મહિના પહેલા રાઘવ-પરિણીતિ ખુદ ઉદયપુર આવીને હોટલ્સની લોકેશન જોઈ ચુક્યા છે. હાલમાં ફરીદાબાદ એસપી પણ અહીં આવી વ્યવસ્થાઓ જોઈ ગયા હતા.
13 મેએ પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ઢાની સગાઈ થઈ હતી. દિલ્હીના કનૉટ પેલેસના કપૂરથલા હાઉસમાં થયેલી સગાઈમાં ઘણા નામી લોકો શામેલ હતા.
ગુજરાતી ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, હતા પ્રજ્ઞાચક્ષુ પણ સ્વરથી લોકોને રસ્તા બતાવ્યા