કાજોલને કઈ વાતનો ગુસ્સો આવ્યો? બોલી- હું અજય દેવગણ પર કેસ કરીશ

કાજોલ હાલમાં પોતાના વર્કફ્રંટને લઈને ખૂબ વ્યસ્ત છે. તેનો આગામી પ્રોજેક્ટ 'ધ ટ્રાયલ' છે જેમાં તે વકિલના રોલમાં દેખાશે.

ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કાજોલે પોતાના રોલ વિશે વાત કરી અને ચોંકાવનારો ખુલાસો પણ કર્યો.

કાજોલને પૂછવામાં આવ્યું કે તે રિયલ લાઈફમાં કોની પર કેસ કરશે? તેનો એક્ટ્રેસે મજેદાર જવાબ આપ્યો.

એક્ટ્રેસે કહ્યું, હું અજય દેવગણ પર કેસ કરીશ, આ માટે મારે કોઈ કારણ બતાવવાની જરૂર નથી.

'તેનું પતિ હોવું જ તેના પર કેસ કરવાનું કારણ છે, હું તેને જાણું છે તે મુજબ તે તમામ આરોપોને સ્વીકારી પણ લેશે.'