ગુજરાતી ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, હતા પ્રજ્ઞાચક્ષુ પણ સ્વરથી લોકોને રસ્તા બતાવ્યા

Arrow

@SocialMedia

પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ધર્મજગતમાં શોકની લહેર જોવા મળી રહી છે.

Arrow

ભજનની દુનિયામાં તેમનું નામ ઘણું જાણીતું હતું. તેમના ગુરુ ભજનીક નારાયણ સ્વામી હતા.

Arrow

જામનગર ખાતે આજે મંગળવારે લક્ષ્મણ બારોટે વહેલી સવારે 5 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે.

Arrow

મૂળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા પરંતુ સ્વરોના મામલે ભગવાનની તેમના પર અપાર સ્નેહવર્ષા હતી.

Arrow

પોતાના સુરીલા કંઠે તેમણે ભજનો ગાયા અને દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા.

Arrow

તેમના પત્નીએ પણ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામે ભક્તિની ધૂણી ધખાવી રાખી હતી અને આશ્રમ બનાવ્યો હતો.

Arrow

લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચના ઝઘડિયાના આ આશ્રમમાં ગમગીની છવાઈ ગઈ છે.

Arrow

કૃષ્ણપુરી ગામમાં શ્રી શક્તિ ભજન પીઠાશ્રમમાં નિત ડાયરા અને ભજન થતા રહેતા હતા.

Arrow

તેમના જાણીતા ભજનોમાં રમતા જોગી... જપ લે હરી કા નામ... શ્યામ વિના વ્રજ સુનુ લાગે વગેરેનો સમાવેશ થાય છે.

Arrow

બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો