roshan 7

'તારક મહેતા'ના સોઢી ભાઈ દેવામાં ડૂબ્યા, ઈન્ડસ્ટ્રી પાસે માંગી મદદ

image
roshan 2

'તારક મહેતા' ફેમ એક્ટર ગુરુચરણસિંહ સોઢીએ અચાનક ગાયબ થઈને સૌંને ચોંકાવ્યા હતા.

roshan 1

25 દિવસ ગાયબ રહ્યા બાદ તેઓ 18 મેએ ઘરે આવ્યા. ફેન્સના દીલમાં હજુ સવાલ છે કે ગુરુચરણે કેમ આવું પગલું ભર્યું.

roshan 4

હવે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટરે ગાયબ થવાનું કારણ જણાવ્યું.તેમણે મેરેજ પ્લાન પર વાત કરી અને ઈન્ડસ્ટ્રીથી સપોર્ટ માંગ્યો છે.

એક્ટરે જણાવ્યું, મહામારીના કારણે તેમને ઘણી મુશ્કેલીપડી, 2020માં તે મુંબઈ છોડીને દિલ્હી જતા રહ્યા, તેમના પિતાની સર્જરી થવાની હતી.

તેમણે ઘણીવાર જાતે બિઝનેસ શરૂ કર્યો, પરંતુ કોઈ સફળતા ન મળી. ક્યારેક કામ ન થયું તો ક્યારેક સામેની પાર્ટી ભાગી ગઈ.

તેમનો વર્ષોથી પ્રોપર્ટી વિવાદ ચાલી રહ્યો હતો. તેમાં લગ્નમાં વધુ ખર્ચ થયો. આ કારણે તે આર્થિક તંગી આવી ગઈ. આથી તે પરેશાન હતા.

જિંદગીમાં એવા મુશ્કેલ પડાવ પર તેને ભગવાનનો સહારો મળ્યો. તે આધ્યાત્મિક યાત્રાએ ગયા, તેના પાછા આવવાનો કોઈ પ્લાન નહોતો.

તેણે કહ્યું- ભગવાને મને ઈશારો કર્યો અને હું ઘરે આવ્યો, લોકોને લાગ્યું કે આ મારો પબ્લિસિટી સ્ટંટ હતો, પરંતુ આ સાચું નથી.

જો આવું હોત તો હું પાછા આવ્યા બાદ ઈન્ટરવ્યૂ આપેત. તારક મહેતા શોની બાકી રકમ માંગતો. એક્ટરે ઈન્ડસ્ટ્રી પાસે કામ માંગ્યું છે.

એક્ટરે કહ્યું- હું ઉધાર અને લોન ચૂકવવા માંગું છું, આથી મને કામ જોઈએ. કામ કરતા મારી આધ્યાત્મિક જર્ની ચાલુ રાખવા માંગું છું.