ગોવિંદાએ કહ્યું- બસ એટલા માટે મેં 'ગદર' ફિલ્મ ન કરી...

કહેવાય છે કે, બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'ગદર' સની દેઓલ પહેલા ગોવિંદાને ઓફર થઈ હતી, પરંતુ તેણે રિજેક્ટ કરી નાખી.

ગોવિંદાએ આખરે આ જણાવ્યું કે શા માટે તેણે આટલી શાનદાર ફિલ્મ નહોતી કરી.

ગોવિંદાએ કહ્યું, જે સમયે ડાયરેક્ટર અનિલ શર્મા સ્ટોરી કહી રહ્યા હતા, તેમાં બહુ બધી ગાળો હતી.

મેં કહ્યું, યાર હું તો ક્યારેય કોઈ વ્યક્તિ સાથે પંગો નથી લેતો. તમે યાર આમ-તેમ દેશ ક્યાં-ક્યાં શું-શું કહી રહ્યા છો.

ગોવિંદાએ આપ કી અદાલત કાર્યક્રમમાં આ અંગે ખુલાસો કર્યો હતો.

જોકે આ જ સવાલ ડાયરેક્ટર અનિલ શર્માને પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે, ફિલ્મ માટે તેમનો સંપર્ક જ નહોતો કરાયો.

1 રોટલીમાં કેટલી કેલરી, પ્રોટીન અને ફોટ હોય છે? ખાતા પહેલા જાણી લો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો