પિતા ધીરુભાઈ પાસેથી મુકેશ-અનિલ અંબાણીને કેટલી મળી હતી સંપત્તિ?
જુલાઈ 2002માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણીનું અવસાન થયું હતું.
ધીરૂભાઈ અંબાણીના અવસાન બાદ તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી કંપનીના ચેરમેન અને MD બન્યા, જ્યારે અનિલ અંબાણી વાઈસ ચેરમેન બન્યા.
પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે મતભેદો થયા અને આખરે 2005માં બંને ભાઈઓ વચ્ચે બિઝનેસ વહેંચાઈ ગયો.
વિભાજન બાદ મુકેશ અંબાણીને તેલ, ગેસ, પેટ્રોકેમિકલ્સ, રિફાઈનિંગ અને મેન્યુફેક્ચરિંગ, જ્યારે અનિલ અંબાણીને પાવર, ટેલીકોમ અનેફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસનો કંટ્રોલ મળ્યો.
2008માં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીની સંપત્તિ લગભગ સમાન હતી. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર 2008માં મુકેશ અંબાણીની નેટવર્થ 43 અરબ ડોલર અને અનિલ અંબાણીની નેટવર્થ 42 અરબ ડોલર હતી.
પણ તે પછી અનિલ અંબાણીનું પતન શરૂ થયું. 2020માં યુકેની એક કોર્ટમાં તેમણે તેમની સંપત્તિ ઝીરો બતાવી.
TOIના 2023ના એક રિપોર્ટ મુજબ અનિલ અંબાણીની નેટવર્થ લગભગ 250 કરોડ઼ રૂપિયા છે.
અને ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, 9.67 લાખ કરોડ રૂપિયા નેટવર્થની સાથે મુકેશ અંબાણી વિશ્વના 11માં સૌથી ધનિક વ્યક્તિ છે.