સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ ધરાશાયી થતા હાલમાં લોકો નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલ વસ્તડી ગામે પુલ ધરાશાઇ થતા ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. આ બિસ્માર પુલ અંગે તંત્રને અગાઉ પણ સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી. વસ્તડીથી પગપાળા નદી પાર કરી ખેતરે તેમજ વઢવાણ અને સુરેન્દ્રનગર જવા માટે લોકો મજબૂર બન્યા છે.