વડોદરા જિલ્લાના શિનોરના સૂરાશામળ ગામે પૂર પીડિત લોકોને મળવા માટે પહોંચેલા સાંસદ સભ્ય મનસુખ વસાવાને રોષનો ભોગ બનવુ પડ્યુ હતુ. નદી કાંઠા વિસ્તારમાં ખેતીના તૈયાર પાક પૂરના પાણીમાં નિષ્ફળ થયો છે. આ દરમિયાન હવે સ્થાનિક ખેડૂતોને મળવા માટે મનસુખ વસાવા પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સાંસદ વસાવાને ઘેરી લીધા હતા. તેઓને ઘેરી લઈને લોકોએ પોતાનો રોષ દર્શાવ્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો.