વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લોકશાહીના ગૃહ પર આતંકવાદી હુમલો થયો હતો. આખી દુનિયામાં આ હુમલો ઈમારત પર નહીં પણ આપણા આત્મા પર હતો. આ દેશ તે ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં. આતંકવાદીઓ સામે લડતી વખતે જે સુરક્ષાકર્મીઓએ અમારી સુરક્ષા કરી હતી. તેમને ક્યારેય ભૂલી શકાય નહીં. હું તેમને પણ સલામ કરું છું જેમણે આતંકવાદીઓ સામે લડતી વખતે ગૃહને બચાવવા માટે છાતી પર ગોળીઓ ઝીલી હતી.