પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમે મિનીકુંભ જેવો મહામેળો યોજાય છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો પોતાના રથ અને ધજા ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યાં છે. "અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ" બોલ માડી અંબે જય જય અંબે ના નાદથી માર્ગો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. મહીસાગર જીલ્લામાંથી તેમજ અન્ય જિલ્લાઓમાંથી પદયાત્રીઓ મોટી સંખ્યામાં માં ના દર્શનનો લાભ લેવા અંબાજી જઇ રહ્યા છે. અનેક જગ્યાએ પદયાત્રીઓની સેવાનો લાભ લેવા સેવાભાવી સંસ્થાઓ લોકો દ્વારા વિસામા આયોજિત કર્યા છે ત્યારે રાજયના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે સંતરામપુર થી અંબાજી જતા યાત્રિકોને મળી પદયાત્રિકોની સેવા કરવાનો લાભ લીધો હતો. શિક્ષણ મંત્રીએ પદયાત્રીઓ સાથે ચાલી માતાજીનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી. તેમણે અંબે માતાજીના દર્શનનો લાભ લીધો હતો