પહેલવાનો આખરે માન્યા હવે ગંગામાં મેડલ નહી પ્રવાહિત કરે, નરેશ ટિકૈતે 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રેસલર્સ પ્રોટેસ્ટ ન્યૂઝ લાઈવ અપડેટ્સઃ દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ મામલો આટલી જલ્દી થાળે પડે તેમ લાગતું નથી. આજે કુસ્તીબાજોએ હરિદ્વારમાં ગંગા નદીમાં તેમના મેડલ વહેવડાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે તેમને મનાવી લીધા છે. ટિકૈતે સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

કુસ્તી સંઘના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના વિરોધના મામલામાં મંગળવારે ભારે હોબાળો થયો હતો. કુસ્તીબાજોએ બપોરે દાવો કર્યો હતો કે, તેઓ તેમના મેડલ ગંગા નદીમાં ફેંકવા માટે સાંજે હરિદ્વાર પહોંચી જશે. મેડલ વહેવડાવવા માટે કુસ્તીબાજો હરિદ્વારમાં હર કી પૌરી પણ પહોંચ્યા હતા, પરંતુ આ કામ કરે તે પહેલા ખેડૂત નેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા. કુસ્તીબાજોને મેડલ આપ્યા. કુસ્તીબાજોને સમજાવતા ટિકૈતે મેડલ પોતાની સાથે લઈ લીધા અને સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું.

આપને જણાવી દઈએ કે મંગળવારે કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું હતું કે તેઓ મેડલ ફેંકવા માંગે છે. ગંગામાં પોતાના તમામ ચંદ્રકને પ્રવાહિત કરશે. ગંગા જેટલી પવિત્ર ગણાય છે, તેટલી પવિત્રતાથી તેણે સખત મહેનત કરીને મેડલ મેળવ્યા હતા. તેણે જાહેરાત કરી હતી કે મેડલ ગંગામાં વહેવડાવ્યા બાદ કુસ્તીબાજો દિલ્હીના ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પણ કરશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT