રાહુલ ગાંધી જ નહી ગાંધી પરિવારનો કોર્ટ-કચોરીનો ઇતિહાસ લાંબો છે, ઇંદિરા ગાંધી પણ દોષિત ઠર્યા હતા

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણીના કેસમાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે. ગાંધી પરિવાર માટે આ પહેલીવાર નથી, જ્યારે ગાંધી પરિવારનો કોઇ સભ્ય કોર્ટ કચેરીના ચક્કરમાં પડ્યો હોય. જોવા જઇએ તો ઇંદિરા ગાંધીના સમયથી જ કોર્ટ કચેરીના ચક્કર શરૂ થયા હતા.

1975 માં ઇંદિરા ગાંધી દોષીત ઠર્યા અને તે પછીનો ઘટનાક્રમ ઇતિહાસ છે
તારીખ 12 જૂન, 1975 સવારના 10 વાગ્યા હતા અને અલ્હાબાદ હાઈકોર્ટના કોર્ટ રૂમ નંબર 24માં ભીડ હતી. એ ઐતિહાસિક નિર્ણય ટુંક સમયમાં જ આવવાનો હતો, જે આગામી જ ક્ષણમાં દેશની રાજનીતિને બદલી નાંખનાર હતો. જસ્ટિસ જગમોહન સિન્હાએ સુનાવણીના ઘણા રાઉન્ડ પછી માથું ઊંચું કર્યું અને પછી થોડાક શબ્દોમાં કહ્યું- ઈન્દિરા ગાંધી રાયબરેલીમાં યોજાયેલી ચૂંટણીમાં ગોટાળા માટે દોષી સાબિત થાય છે. તેમની ચૂંટણી રદ કરવામાં આવે છે. તે પછી જે થયું તે ઈતિહાસ છે.

ઈન્દિરા કેસને કેમ યાદ કર્યો?

સવાલ એ થાય છે કે, આજથી 48 વર્ષ પહેલાના આ કેસને યાદ કરવાની શું જરૂર હતી. આજે ન તો પૂર્વ પીએમની જન્મજયંતિ છે, ન પુણ્યતિથિ છે, ન તો ઈમરજન્સી તારીખના કાળા દિવસોની યાદ છે? કારણ છે. કારણ એ છે કે આજે આ ગાંધી પરિવારના અન્ય એક સભ્ય, વાયનાડના કોંગ્રેસી સાંસદ, દેશના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા રાહુલ ગાંધી કોર્ટમાં હતા. કોર્ટે તેમને દોષિત પણ ગણાવ્યા છે અને મોદીની અટક પર ટિપ્પણી કરવા બદલ તેમને બે વર્ષની જેલની સજા પણ ફટકારી છે. જો કે તેને તરત જ જામીન પણ મળી ગયા હતા. આ કેસ અને ચુકાદા પછી જાણીએ કે ગાંધી પરિવારના કયા કયા સભ્ય પર કેવા કેવા કેસ થયા છે અને કયા કયા કેસ હજી પણ ચાલી રહી છે.

પૂર્વ પીએમ પર લગાવવામાં આવ્યા હતા આ આરોપો
ઉપર જણાવેલ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના કેસ 1971થી શરૂ થાય છે. ઈન્દિરા ગાંધીએ રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમની જીતને હરીફ રાજનારાયણે કોર્ટમાં પડકારી હતી. આ કેસ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ તરીકે ઓળખાય છે. આ હાર બાદ રાજનારાયણ કોર્ટમાં ગયા અને ઈન્દિરા ગાંધી પર ચૂંટણીમાં ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો. 12 જૂન 1975ના રોજ પૂર્વ પીએમ આ મામલામાં દોષી સાબિત થયા હતા.આ કેસમાં રાહુલ ગાંધી દોષિત ઠર્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે માનહાનિના કેસમાં દોષી સાબિત થયા છે, પરંતુ તેમના પર હજુ પણ આવા ઘણા કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી ચાલી રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ચોકીદાર ચોર હે નિવેદન મુદ્દે પણ રાહુલ ગાંધી માફી માંગી ચુક્યા છે
વર્ષ 2019ની શરૂઆતમાં, જ્યારે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. તિરસ્કારના કેસમાં અગાઉ દાખલ કરાયેલા બે એફિડેવિટમાં રાહુલે માત્ર ખેદ વ્યક્ત કર્યો હતો. આ અંગે કોર્ટે તેને ઠપકો આપ્યો હતો. આ પછી કોંગ્રેસ અધ્યક્ષના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં મૌખિક રીતે માફી માંગી હતી.રાહુલ ગાંધી 2014માં પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક આરએસએસ કાર્યકર રાજેશ કુંટેએ 2014માં થાણેના ભિવંડી શહેરમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ એક ભાષણ પર કેસ દાખલ કર્યો હતો. જેમાં કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીની હત્યા પાછળ આરએસએસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. કુંટેએ દાવો કર્યો છે કે, આ નિવેદન દ્વારા આરએસએસની પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી છે. આ કેસમાં ભિવંડી કોર્ટમાં 2018માં આરોપ ઘડવામાં આવ્યા હતા. હવે ફેબ્રુઆરી 2023 માં આ કેસમાં એક ચર્ચા છે.

રાહુલ ગાંધી પર નેશનલ હેરાલ્ડ સહિત અનેક કેસ ચાલી રહ્યા છે
જેમાં રાહુલ ગાંધીએ વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી હતી. ઝારખંડ હાઈકોર્ટમાં પણ 2018ના કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસમાં ખૂની રાષ્ટ્રીય અધ્યક્ષ ન બની શકે. ભાજપમાં જ આ શક્ય છે. તેમની ટિપ્પણીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ માનહાનિ તરીકે જોવામાં આવી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન સામે રાંચી સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે સંજ્ઞાન લીધું હતું. એક સપ્તાહ પહેલા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી રાહતને યથાવત રાખી છે. નેશનલ હેરાલ્ડનો કેસ રાહુલ ગાંધીએ વર્ષ 2019માં જ ચૂંટણી પંચમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ, તેમની સામે પાંચ કેસ એવા છે જે ચાલુ છે અને આ કેસોની સુનાવણી ચાલી રહી છે. આ વાત હતી રાહુલ ગાંધીની.

ADVERTISEMENT

સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના જમાઇ પર પણ કેસ
ગાંધી પરિવારમાં કોંગ્રેસ અધ્યક્ષ રહી ચુકેલા સોનિયા ગાંધી પર પણ ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમાં તપાસ અને કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આમાં સૌથી મોટો કેસ નેશનલ હેરાલ્ડનો છે. આ અંગે EDની તપાસ ચાલી રહી છે. ડિસેમ્બર 2015માં પટિયાલા હાઉસ કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. બિકાનેરની જમીન મામલા ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પણ તપાસનો સામનો કરી રહ્યા છે. ED બિકાનેરમાં 275 વીઘા જમીનની ખરીદી અને વેચાણ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. આ જમીન બિકાનેરના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના વિસ્થાપિત લોકોને ફાળવવામાં આવનાર હતી. પરંતુ તેની ખરીદી ખોટી રીતે કરવામાં આવી હતી. બિકાનેર જમીન સોદા કેસમાં જોધપુર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT