કોંગ્રેસને વધુ એક ઝટકાની શક્યતાઃ માનહાનિ કેસમાં હવે અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી શકે!
દેશ-દુનિયા રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

કોંગ્રેસને વધુ એક ઝટકાની શક્યતાઃ માનહાનિ કેસમાં હવે અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી શકે!

સંજય શર્મા.નવી દિલ્હીઃ સંજીવની કોઓપરેટિવ સોસાયટી કૌભાંડ કેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ફરિયાદી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજીમાં લાગેલા આરોપોની તપાસનો આદેશ આપ્યો છે. હવે તપાસ રિપોર્ટની રાહ જોઈને સુનાવણી 25 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

‘દરેક કિંમત ચુકવવા તૈયાર છું’, સંદસ સભ્યપદ ગયા પછી રાહુલ ગાંધીનું પહેલું નિવેદન

સાંસદ અને ધારાસભ્ય વિરૂદ્ધ દાખલ થયેલા કેસોની તપાસ માટેની વિશેષ અદાલત રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે જોઈન્ટ કમિશનરે તેની જાતે તપાસ કરવી જોઈએ અથવા ઈન્સ્પેક્ટર રેન્કના કોઈ અધિકારીને તેની તપાસ કરાવવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં ઈન્સ્પેક્ટરના રેન્કથી નીચેના અધિકારીએ તપાસ હાથ ધરવી જોઈએ નહીં. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર પાસેથી રિપોર્ટ માંગ્યો. કોર્ટે કહ્યું કે આ મુદ્દાઓની તપાસ કરીને રિપોર્ટ દાખલ કરો.

કમોસમી વરસાદને પગલે ચરોતરમાં ઘઉં પકવતા ખેડૂતો પાયમાલ થવાના આરે

ઊભા થયા આ સવાલો
શું ફરિયાદી ગજેન્દ્ર સિંહ શેખાવતને આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા અશોક ગેહલોત દ્વારા આરોપી તરીકે સંબોધવામાં આવ્યા હતા? શું આરોપી અશોક ગેહલોતે એવું નિવેદન આપ્યું છે કે સંજીવની કૌભાંડમાં ફરિયાદી ગજેન્દ્ર સિંહ શેખાવત સામેનો આરોપ સાબિત થયો છે? શું સંજીવની કૌભાંડમાં તપાસ દરમિયાન શેખાવત કે તેના પરિવારના સભ્યોને આરોપી બનાવવામાં આવ્યા હતા?

નક્ષત્ર આધારિત ખેતીથી ખેડાના ખેડૂતે કર્યું કુલ 3 વીઘા જમીનમાં 289.5 ક્વિન્ટલ બટાકાનું બમ્પર ઉત્પાદન

કોર્ટે ગેહલોતને સમન્સ આપવા પર રોક લગાવી
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક સિંહ ગેહલોત વિરૂદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજીવની કૌભાંડમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. શેખાવતે આરોપ લગાવ્યો છે કે સીએમ અશોક ગેહલોતે આ કૌભાંડમાં મારું અને મારા પરિવારનું નામ ખેંચ્યું છે. જેનાથી મારી સામાજિક છબીને ઘણું નુકસાન થયું છે. શુક્રવાર સાંજથી જ તમામની નજર કોર્ટના નિર્ણય પર હતી. કોર્ટે હાલમાં અશોક ગેહલોતને સમન્સ જારી કરવા પર રોક લગાવી છે. અશોક ગેહલોતે સંજીવની કોઓપરેટિવ કેસમાં ગજેન્દ્ર સિંહ શેખાવત પર ઘણી વખત આરોપ લગાવ્યા હતા. તેમના આ નિવેદન પર શેખાવતે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હાલમાં દિલ્હીમાં બે કેસ ચાલી રહ્યા છે જેમાં શેખાવત અને ગેહલોત સામ-સામે છે. માનહાનિના કેસ ઉપરાંત દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ફોન ટેપિંગ કેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી લોકેશ શર્માની પણ સતત પૂછપરછ કરી રહી છે. બે દિવસ પહેલા જ લોકેશ શર્માની લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

26 વર્ષ પછી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે સાથે કર્યો ડાન્સ, લોકોને યાદ આવી આ ફિલ્મ માતા બનેલી શ્લોકા અંબાણીના સ્ટાઈલિશ મેટરનીટી Photos 49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ વિરાટ, પ્રિયંકા, આલિયા અને કેટ, જાણો ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા પૈસા લે છે આ સેલેબ્સ? જયા કિશોરી લવ મેરેજ કરશે કે એરેન્જ, જાણો શું આપ્યો જવાબ ટોપલેસ થઈ 44 વર્ષની આ અભિનેત્રી, ઉનાળાની ઉજવણી કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત 82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ ટેડી બિયર પહેરી નીકળેલી ઉર્ફીના ચહેરા પર ઈજાના નિશાન, કોની લાગી નજર? રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો શુભમન ગિલને છે કારનો ગજબનો શોખ, સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો મા કરતા દીકરી સવાઈ, શ્વેતા તિવારીની દીકરીએ સ્વિમસૂટ પહેરીને પાણીમાં આગ લગાવી CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન સર જાડેજાને વચ્ચે ભેટી પડ્યા, જુઓ VIDEO IIFA 2023 માં મૌની રોય ખાસ અંદાજમાં જોવા મળી , પતિ સાથે થઈ રોમેન્ટિક પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય? ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ મલાઈકાએ અર્જુનની પ્રાઈવેટ ફોટો શેર કરી દીધી, લખ્યું- ‘મારો લેઝી બોય’ રિલેશનશીપમાં ‘તારક મહેતા’ની જૂની સોનુ, બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ, VIDEO