ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની છે. ગત રોજ રાત્રે ખેતરમાં ગયેલ આધેડ પુરના પાણીમાં ફસાયા હતા. આખી રાત ઝાડ ઉપર બેસીને પસાર કરી હતી. આજે પોલીસ અને NDRFની મદદથી તપાસ કરતા વૃક્ષ ઉપર મળી આવ્યા હતા. સ્થાનિક લોકો અને NDRFની મદદથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા.