મુંબઈ: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓનલાઈન હોલસેલ ફોર્મેટ JioMart માં મોટી છટણી થઈ છે. અહેવાલ છે કે કંપનીએ એક હજારથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. તાજેતરમાં JioMart એ ભારતમાં કામગીરી માટે મેટ્રો કેશ એન્ડ કેરી (Metro Cash and Carry) બિઝનેસ હસ્તગત કર્યો છે. કંપની દ્વારા તેની ડીલ બાદ છટણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આવનારા દિવસોમાં કંપની મોટા પાયે છટણી કરવાની યોજના બનાવી રહી છે, જેના કારણે હજારો કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે.
મોટી છટણીની યોજના
ધ ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, JioMartમાં છટણીની આ માત્ર શરૂઆત છે. આવનારા સમયમાં, JioMart તેના 15,000 વર્કફોર્સમાંથી ત્રીજા ભાગની છટણી કરવાનું આયોજન કરી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સે એક વ્યક્તિના હવાલાથી જણાવ્યું કે JioMart એ છેલ્લા કેટલાક દિવસોમાં તેની કોર્પોરેટ ઓફિસના 500 એક્ઝિક્યુટિવ્સ સહિત 1,000 લોકોને રાજીનામું આપવા માટે કહ્યું છે. વ્યક્તિએ કહ્યું કે JioMart પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન (PIP) હેઠળ સેંકડો કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે.
નુકસાનને ઓછું કરવા પર ફોકસ
આ બાબતની જાણકાર વ્યક્તિએ જણાવ્યું કે, મેટ્રો કેશ એન્ડ કેરીના 3,500 કાયમી કર્મચારીઓ ઉમેર્યા પછી, કંપનીમાં કર્મચારીઓની ભૂમિકાઓ ઓવરલેપ થઈ ગઈ છે. કંપની, જેણે કરિયાણાની B2B સ્પેસમાં પ્રાઇસ વોર શરૂ કરી છે, તે માર્જિનમાં સુધારો કરવા અને નુકસાન ઘટાડવા માટે પણ વિચારી રહી છે. જો કે આ મામલે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
FMCG સેક્ટર પર રિલાયન્સની નજર
રિલાયન્સ રિટેલે મેટ્રો કેશ એન્ડ કેરીનો ભારતીય બિઝનેસ રૂ. 2850 કરોડમાં ખરીદ્યો છે. કંપનીને તેની મંજૂરી પણ મળી ગઈ છે. મેટ્રો કેશ એન્ડ કેરીની ભારતમાં 3 મિલિયન ગ્રાહકોની પહોંચ છે. આ દિવસોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ FMCG સેક્ટરમાં પોતાનો પગ ફેલાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.
સંપાદન બાદ રિલાયન્સ રિટેલ અમૃતસર, અમદાવાદ, બેંગલુરુ, દિલ્હી, ગાઝિયાબાદ, ગુંટુર, હૈદરાબાદ, હુબલી, ઈન્દોર, લખનૌ, કોલકાતા, મુંબઈ, નાસિક, સુરત, વિશાખાપટ્ટનમ અને વિજયવાડા જેવા શહેરોમાં મેટ્રો સ્ટોર્સનો ઉપયોગ કરીને મેટ્રો કેશ એન્ડ કેરીના સ્ટોરનો ઉપયોગ કરી શકશે. જેપી મોર્ગને કહ્યું હતું કે મેટ્રો કેશ એન્ડ કેરીનું નેટવર્ક B2B માર્કેટમાં રિલાયન્સને વધુ મજબૂત બનાવી શકે છે.