આજથી બેંકોમાં 2000ની નોટ બદલાશે… જાણો ફોર્મમાં ડિટેલથી લઈને 20 હજારની લિમિટ અને બેંકિંગ નિયમ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: આજથી 2000 રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થશે. બેંકો ખુલતાની સાથે જ લોકો બેંકોની શાખામાં જઈને તેમની પાસે ઉપલબ્ધ 2000 રૂપિયાની નોટ બદલી શકશે. રિઝર્વ બેંક (RBI) એ નોટો બદલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. 20,000 રૂપિયા સુધીની 2000ની નોટો એક સાથે બેંકોમાં સરળતાથી બદલી શકાશે. તે જ સમયે, બેંક ખાતામાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. પરંતુ આ માટે બેંકના ડિપોઝીટના નિયમોનું પાલન કરવું પડશે.

નહીં ભરવું પડે ફોર્મ
રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટો બદલવા માટે બેંકમાં કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં અને ન તો કોઈ ઓળખ પત્રની જરૂર પડશે. તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો. ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. નોટ એક્સચેન્જની પ્રક્રિયાને લઈને આરબીઆઈની સૂચના મુજબ તમામ બેંકોએ તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

શક્તિકાંત દાસે લોકોને કરી અપીલ
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને અપીલ કરી છે કે તેઓ નોટ બદલવાને લઈને ગભરાય નહીં. લોકો પાસે 4 મહિનાથી વધુ સમય છે, તેઓ સરળતાથી કોઈપણ બ્રાન્ચમાં જઈને 2000ની નોટ બદલી શકે છે. ભારતીય રિઝર્વ બેંકે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સ્પેશ્યલ વિન્ડોની વ્યવસ્થા
આરબીઆઈએ કહ્યું છે કે ઉનાળાની મોસમને ધ્યાનમાં રાખીને બેંકોએ લોકોને કેટલીક જરૂરી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. બેંકોને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શાખામાં છાયાદાર વેઈટિંગ સ્થાનની વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત યોગ્ય પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાના પાણીની સુવિધા વગેરે ઉપલબ્ધ કરાવવી જોઈએ. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ બેંકોમાં 2000ની નોટ બદલવા માટે અલગથી ખાસ વિન્ડો હશે, જ્યાં તમે સરળતાથી 2000 રૂપિયાની નોટ બદલી શકશો.

કોરસ્પોન્ડન્ટ સેન્ટર પર એક્સચેન્જ થઈ જશે 2000ની નોટ
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ કેન્દ્રમાં માત્ર 4000 રૂપિયા સુધીની 2000ની નોટ જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બેંકની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બેંક ખાતા ખોલવામાં અને વ્યવહારો કરવામાં મદદ કરે છે.

ADVERTISEMENT

અહીં પણ બદલી શકાશે નોટ
આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂ. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુરમાં નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં બદલી શકાય છે.

ADVERTISEMENT

જેમનું એકાઉન્ટ નથી તેઓ કેવી રીતે બદલશે નોટ?
રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે નોટ બદલવાની સુવિધા ફ્રી હશે.

    follow whatsapp

    ADVERTISEMENT