ગાંધીજીએ અમદાવાદમાં અહીં સ્થાપ્યો હતો સૌથી પહેલો આશ્રમ, જ્યાંથી થઈ આઝાદીની ચળવળની શરૂઆત - ગુજરાત તક
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર

ગાંધીજીએ અમદાવાદમાં અહીં સ્થાપ્યો હતો સૌથી પહેલો આશ્રમ, જ્યાંથી થઈ આઝાદીની ચળવળની શરૂઆત

અમદાવાદ: મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સટ્રોય આશ્રમની સ્થાપના કરીને સાદા જીવન સાથે ઉચ્ચ વિચારનો એક નવો વિચાર લોકો સામે મૂક્યો. જેના પરીણામ સ્વરૂપે તેઓ દક્ષિણ આફ્રિકામાં મોહનમાંથી મહાત્મા બની સ્વદેશ પરત ફર્યા હતા. ગાંધીજી વર્ષ 1915માં ભારત પરત ફર્યા.

વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનારા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ સ્વદેશમાં આશ્રમ ક્યાં સ્થાપવો તેની વિચારમાં હતા. રવિન્દ્રનાથ ટાગોરે બાપુને શાંતિનિકેતનમાં આશ્રમ સ્થાપવા રજૂઆત કરી હતી. તો ગાંધીજી અમદાવાદમાંથી પસાર થતા ઘણા મિત્રોએ તેમને અહીં આશ્રમ સ્થાપવા કહ્યું. અમદાવાદમાં હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં વધુ સારું થશે એમ બાપુને લાગ્યું આથી તેમણે જીવણલાલ વ્રજરાય દેસાઈનો બંગલો ભાડે રાખીને 25 મે 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. આ માટે તેમણે રૂ.2ના ભાડા પેટે જગ્યા લીધી હતી.

ગાંધીજીએ કોચરબ આશ્રમથી જ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી. અહીં બાપુએ 11 વ્રતો કર્યા હતા. ચંપારણના સત્યાગ્રહની શરૂઆત પણ આ જ આશ્રમથી થઈ હતી. કોચરબ આશ્રમમાં ગાંધીજીએ જીવનના બે વર્ષ વિતાવ્યા હતા. શરૂઆતમાં અહીં ગાંધીજીની સાથે 20-25 લોકો રહેતા હતા, જોકે બાદમાં આશ્રમમાં રહેતા લોકોની સંખ્યા વધીને 80 સુધી પહોંચી ગઈ, જેથી તેને સાબરતમી પાસે ખસેડવો પડ્યો હતો.

મહત્મા ગાંધીએ કોચરબ આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો અને આશ્રમ સત્યાગ્રહનું તાલીમકેન્દ્ર બને તેવી કલ્પના તેમની હતી. ગાંધીજીએ લખ્યું છે કે, “મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી, છેવટે આશ્રમનું નામ સત્યાગ્રહાશ્રમ રાખવામાં આવ્યું… મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે.”

નોંધનીય છે કે, કોચરબ આશ્રમ 1950 સુધી તેની મૂળ સ્થિતિમાં હતો. જોકે તે વખતની મુંબઈ સરકારે આશ્રમને ગાંધીજીએ સ્થાપેકા પ્રથમ આશ્રમ તરીકે જાળવીને વિકસાવવા માટે સ્મારકનો દરજ્જો આપ્યો હતો. આ બાદ 4 ઓક્ટોબર 1953માં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ દ્વારા સત્યાગ્રહ સ્મારક તરીકે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ પછી 1953થી કોચરબ આશ્રમનું સંચાલન ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.

26 વર્ષ પછી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે સાથે કર્યો ડાન્સ, લોકોને યાદ આવી આ ફિલ્મ માતા બનેલી શ્લોકા અંબાણીના સ્ટાઈલિશ મેટરનીટી Photos 49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ વિરાટ, પ્રિયંકા, આલિયા અને કેટ, જાણો ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા પૈસા લે છે આ સેલેબ્સ? જયા કિશોરી લવ મેરેજ કરશે કે એરેન્જ, જાણો શું આપ્યો જવાબ ટોપલેસ થઈ 44 વર્ષની આ અભિનેત્રી, ઉનાળાની ઉજવણી કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત 82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ ટેડી બિયર પહેરી નીકળેલી ઉર્ફીના ચહેરા પર ઈજાના નિશાન, કોની લાગી નજર? રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો શુભમન ગિલને છે કારનો ગજબનો શોખ, સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો મા કરતા દીકરી સવાઈ, શ્વેતા તિવારીની દીકરીએ સ્વિમસૂટ પહેરીને પાણીમાં આગ લગાવી CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન સર જાડેજાને વચ્ચે ભેટી પડ્યા, જુઓ VIDEO IIFA 2023 માં મૌની રોય ખાસ અંદાજમાં જોવા મળી , પતિ સાથે થઈ રોમેન્ટિક પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય? ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ મલાઈકાએ અર્જુનની પ્રાઈવેટ ફોટો શેર કરી દીધી, લખ્યું- ‘મારો લેઝી બોય’ રિલેશનશીપમાં ‘તારક મહેતા’ની જૂની સોનુ, બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ, VIDEO